PBKS vs MI: કેએલ રાહુલે ટોસ જીતી બોલીંગનો લીધો નિર્ણય, મુંબઇ કરશે બેટીંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં 4 મેચમાંથી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં 4 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સની ટીમ માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. ચેન્નાઇના મેદાન પર પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને 1 ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે.

મુંબઈની ટીમે તેમના પ્લઇંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી. પંજાબ કિંગ્સની ટીમે અશ્વિનને તેમની પ્લેઇંગ 11 માં આરામ આપ્યો છે અને તેની જગ્યાએ રવિ બિશ્નોઈને મૂક્યો છે. ટોસ હારી ગયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા માંગીએ છીએ, તે સ્થિતિમાં અમારે હારથી કોઈ ખાસ ફરક નથી પડ્યો.












Click it and Unblock the Notifications
