ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલની શું છે ખાસ વાતો
નવી દિલ્હી, 20 માર્ચ: ગુરુવારે ભારતના શેરોએ બાંગ્લાદેશના ટાઇગર્સને ધૂળ ચટાડીને વર્લ્ડકપમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. આ મેચ દરમિયાન ઘણા ઇતિહાસ રચાઇ ગયા છે, જે સદીઓ સુધી યાદ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે આઇસીસી વિશ્વ કપ-2015ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ગુરુવારે બાંગ્લાદેશને 109 રનોથી હરાવી દીધું છે.
ભારતીય ટીમ વિશ્વકપમાં એક પછી એક મુકાબલામાં પોતાની તગડી જીત નોંધાવીને આગળ ધપી રહ્યું છે. આવો એવામાં જાણીએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે રમાયેલ મેચમાં મહત્વના પાસાઓ કયા રહ્યા.
ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલ
આ મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી અને વિશ્વકપમાં બાંગ્લાદેશની વિરુદ્ધ સદી ફટકારનાર તેઓ દેશના બીજા બેટ્સમેન બની ગયા છે.
ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલ
બાંગ્લાદેશની વિરુદ્ધ ભારતીય ટીમે 85મી વખત 300થી વધારે સ્કોર બનાવવાનો વિક્રમ બનાવ્યો છે.
ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલ
આંતરરાષ્ટ્રીય એકદિવસીયમાં સૌથી વધારે વખત 300 અથવા તેનાથી વધારે સ્કોર ઊભો કરવાની સિદ્ધિ ભારતના નામે છે.
ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલ
વિશ્વકપમાં ભારતીય ટીમે ત્રીજીવાર 300 અથવા તેનાથી વધારે સ્કોર બનાવ્યો છે.
ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલ
આ મેચની જીત બાદ જ ધોનીએ જીતની સદી પૂરી કરી લીધી છે. તેમના નેતૃત્વમાં ભારતે 100 મેચોમાં જીત હાસલ કરી છે ત્યાર પછી તેઓ ભારતના સૌથી સફળ કપ્તાન બની ગયા છે.
ભારત-બાંગ્લાદેશ ક્વાર્ટર ફાઇનલ
આ મેચની જીતની સાથે જ ધોની સેના માર્ચ ફોબિયાને ધ્વસ્ત કરી દીધું. ટીમ ઇન્ડિયા વનડેમાં બાંગ્લાદેશથી અત્યાર સુધી માત્ર 3 વખત જ હારી છે. જેમાં તેને સતત 2 મેચોમાં હાર મળી, જ્યારે માર્ચના મહિનામાં જ મળી હતી, પરંતુ 19 માર્ચ બાદ આ ફિયર ફેક્ટર પણ ખતમ થઇ ગયું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો