શાસ્ત્રી પર ભડક્યા ગાંગુલી, બેંગકોક ના ગયા હોત તો સારું હતું.....
રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે પસંદ ના કરવામાં આવ્યા. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ મીડિયા સામે સૌરવ ગાંગુલીને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા. રવિ શાસ્ત્રીના આ નિવેદન પર સૌરવ ગાંગુલીએ હવે જવાબ આપ્યો છે.
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા સૌરવ ગાંગુલી એ જણાવ્યું કે જો રવિ શાસ્ત્રી એવું માને છે કે તેમના ટીમ ઇન્ડિયાના કોચ ના બનવા માટે હું જવાબદાર છું, તો તેઓ ખોટા છે. આ બધા જ તેમના મગજની ઉપજ છે. હું રવિ શાસ્ત્રીની આ વાત થી ઘણો જ આઘાતમાં છું.
સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે રવિ શાસ્ત્રીને હકીકત ખબર નથી કદાચ એટલા માટે જ તેમને મારા વિરુદ્ધ આવું નિવેદન આપ્યું હશે. સિલેક્સન કમિટીમાં હું એકલો જ નથી. આપણે જણાવી દઈએ કે સિલેક્સન કમિટીમાં સૌરવ ગાંગુલીની સાથે સાથે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પણ હતા.
સૌરવ ગાંગુલી એ જણાવ્યું કે જ્યારે કોચ બનવા માટે પૂર્વ ક્રિકેટરો પ્રેજંટેશન આપી રહ્યા હતા ત્યારે રવિ શાસ્ત્રી બેંગકોક હોલીડે મનાવી રહ્યાં હતા તો તેમાં હું શુ કરી શકું?
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો