ધોની જો સન્યાસ લેત તો ગાવસ્કર ઘરની બહાર ધરણા કરતા
એનડીટીવી સાથે વાતચીતમાં સુનીલ ગાવસ્કરે કહ્યુ કે જો ધોનીએ એક ખેલાડી તરીકે સન્યાસ લીધો હોત તો તેમને પાછા બોલાવવા માટે તેમના ઘરની સામે ધરણા પર બેસનાર હું પહેલો વ્યક્તિ હોત...
ટીમ ઇંડિયાના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 અને એક દિવસીય મેચોની કેપ્ટનશીપ છોડી દીધી છે. કેપ્ટન કૂલના આ અચાનક લીધેલા નિર્ણયથી તેમના ફેંસ હેરાન છે અને આ સમાચાર પર હજુ વિશ્વાસ નથી કરી શકતા. જો કે તેમને રાહત માત્ર એ વાતની છે કે ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ નથી લીધો. આ દરમિયાન લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરને ખુશી છે કે ધોનીએ માત્ર કેપ્ટનશીપ છોડી છે સન્યાસ નથી લીધો. સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે ધોની હજુ પણ ટીમ ઇંડિયામાં ઘણુ યોગદાન આપી શકે છે.

એનડીટીવી સાથે વાતચીતમાં ગાવસ્કરે કહ્યુ કે જો તેમણે એક ખેલાડી તરીકે સન્યાસ લીધો હોત તો તેમને પાછા બોલાવવા માટે તેમના ઘર આગળ ધરણા પર બેસનાર હું પહેલો વ્યક્તિ હોત. એક ખેલાડી તરીકે તે હજુ પણ વિસ્ફોટક છે. ગાવસ્કરે કહ્યુ કે ધોની એક ઓવરમાં મેચની દિશા બદલી શકે છે. ભારતને એક ખેલાડી તરીકે ધોનીની ખાસ જરુર છે. મને ઘણી ખુશી છે કે ધોનીએ એક ખેલાડી તરીકે રહેવાનો નિર્ણય કર્યો. ગાવસ્કરે કહ્યુ કે ધોનીએ કેપ્ટન ના રહેવાથી તેમની બેટિંગ અને વિકેટ કીપિંગમાં મદદ મળશે.
ગાવસ્કરે કહ્યુ કે ધોની મહાન ફિનિશર છે પરંતુ તે નંબર 4 કે 5 પર આવીને મોટો દાવ રમી શકે છે. ગાવસ્કરે કહ્યુ કે ધોની માટે વિકેટ કિપીંગ હવે વધુ સરળ બની જશે કારણકે હવે તેમને બોલિંગમાં બદલાવ અને ક્ષેત્રરક્ષણ વિશે વિચારવાનું રહેશે નહિ. આનાથી ઘણી વાર પોતાનું ધ્યાનભંગ થાય છે. ગાવસ્કરના જણાવ્યા મુજબ ધોની અને કોહલી મેદાનમાં એકબીજાના પૂરક બની શકે છે અને આનાથી નિશ્ચિત રીતે ભારતને મદદ મળશે કારણકે ધોની શાંત ચિત્ત હોવાને કારણે વિરાટને પણ મદદ મળશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
