IPL 2019: વાનખેડેની સીડી ઉતરતાં જ યુવરાજ સિંહને આવી વર્લ્ડ કપ 2019ની યાદ, જુઓ વીડિયો
વાનખેડેની સીડી ઉતરતાં જ યુવરાજને આવી વર્લ્ડ કપ 2019ની યાદ
નવી દિલ્હીઃ યુવરાજ સિંહ ક્રિકેટ જગતમાં એક એવું નામ છે જેણે કેટલીય વાર પોતાના બેટથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એટલું જ નહિં, જ્યારે જિંદગી અને મોતથી લડી રહ્યો હતો ત્યારે પણ યુવરાજ માટે ભારત તરફથી મેચ રમવી જરૂરી લાગ્યું ન કે ખુદને આરામ આપવો. અમે વાત કરી રહ્યા છીએ જ્યારે યુવરાજ સિંહ કેન્સરથી પીડિત હતો, છતાં તે વર્લ્ડ કપ 2011 રમ્યો. જો કે, હવે યુવરાજ ટીમથી બહાર છે. 37 વર્ષીય યુવરાજ સિંહ હવે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે, જેના માટે તે મેદાન પર ખુબ મહેનત કરી રહ્યો છે. તે જેવો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા પહોંચ્યો કે 2011 વર્લ્ડ કપંની યાદમાં ભાવુક થઈ ગયો. જેનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર શેર કર્યો છે.

પ્રેક્ટિસ માટે યુવરાજ ગ્રાઉન્ડ પર ઉતરે છે. કેમેરા પાછળ એક શખ્સ પૂછે છે. તમે બેટનું કેટલું વજન રાખ્યું હશે? જેનો યુવરાજ જવાબ આપતા 2.8 કહે છે જે બાદ તે મસ્તીના મૂડમાં આવી જાય છે. જે બાદ ગ્રાઉન્ડ પર પગ રાખતા જ તે કહે છે કે 2011ની યાદ તાજા થઈ ગઈ. ગ્રાઉન્ડને જોતા જ મારા દિમાગમાં એ જ વાત ચાલી રહી છે. સારી યાદો છે.
Start your Monday by watching @YUVSTRONG12 walk down the Wankhede stairs and talk about the 2011 @ICC World Cup 😍💙#CricketMeriJaan #OneFamily pic.twitter.com/pNysQP5BPp
— Mumbai Indians (@mipaltan) March 18, 2019
યુવરાજને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વર્ષ 2008માં તે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે પણ જોડાયો હતો, જે બાદ વર્ષ 2011માં પુણે વોરિયર્સે તેને ખરીદી લીધો અને વર્ષ 2014માં યુવરાજ ટીમ રૉયલ ચેલેન્જર્સ સાથે જોડાઈ ગયો. વર્ષ 2015માં યુવરાજને દિલ્હી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ દરમિયાન તે આઈપીએલ બોલીમાં વેચાનાર સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. વર્ષ 2016 અને 2017ની સિઝન યુવરાજે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી. જે બાદ વર્ષ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિકેટરને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. યુવરાજ 128 મેચમાં 12 ફિફ્ટી સાથે 2652 રન બનાવી ચૂક્યો છે.
આ પણ વાંચો- IPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
