હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવા માંગ, જાણો શું કહ્યું પુર્વ સિલેક્ટર શ્રીકાંતે?
T20 વર્લ્ડકપમાં ખરાબ હાર બાદ ભારતીય ટીમ પર સતત માછલા ધોવાઈ રહ્યા છે. ભારતની હાર માટે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
T20 વર્લ્ડકપમાં ખરાબ હાર બાદ ભારતીય ટીમ પર સતત માછલા ધોવાઈ રહ્યા છે. ભારતની હાર માટે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા પુર્વ ક્રિકેટરો કોચ અને કેપ્ટન બદલવાની માંગ કરી રહ્યા છે ત્યારે હવે પુર્વ સિલેક્ટર શ્રીકાંતે પણ મોટી વાત કરી દીધી છે.
પૂર્વ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્માને T20 ફોર્મેટની કેપ્ટનશીપથી હટાવવાની વાત કરી છે. શ્રીકાંતે માંગ કરી છે કે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી, આ પહેલા ઘણા નિષ્ણાતોએ પંડ્યાને T20 ફોર્મેટનો કાયમી કેપ્ટન બનાવવાની માંગ કરી છે.

શ્રીકાંતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, જો હું વર્તમાન પસંદગી સમિતિનો અધ્યક્ષ હોત તો પણ મેં એક જ વાત કહી હોત કે 2024 T20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હોવો જોઈએ. શ્રીકાંતે કહ્યું કે આપણે ન્યુઝીલેન્ડ સામે 18 નવેમ્બરથી શરૂ થનારી ટી20 સીરીઝને 2024 ટી20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવી જોઈએ, આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન છે.
શ્રીકાંતે કહ્યું કે, આપણે 2024 T20 વર્લ્ડ કપ માટે ટીમને ફરી બનાવવાની પ્રક્રિયા બે વર્ષ પહેલાથી શરૂ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે આ કામ આ અઠવાડિયે શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સિરીઝથી શરૂ થવું જોઈએ. શ્રીકાંતે કહ્યું કે વર્લ્ડ કપની તૈયારીઓ માટે 2 વર્ષ પૂરતો સમય છે, 2023 સુધીમાં ટીમને તૈયાર કરો અને ખાતરી કરો કે આ ટીમ રમશે.
શ્રીકાંતે પંડ્યાને કેપ્ટન બનાવવા પર ભાર મૂકતા કહ્યું કે, ભારતીય ટીમમાં વધુ ઝડપી બોલિંગની સાથે ઓલરાઉન્ડરને રાખવાની સૌથી વધુ જરૂર છે. શ્રીકાંતે કહ્યું કે આપણે 1983 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2007 ટી-20 વર્લ્ડ કપ કેવી રીતે જીત્યા? આ ત્રણેય વર્લ્ડ કપમાં આપણા ફાસ્ટ બોલરો ઓલરાઉન્ડર અને સેમી ઓલરાઉન્ડર હતા. આ દરમિયાન શ્રીકાંતે દીપક હુડ્ડા અને તેના જેવા ખેલાડીઓને ટીમમાં પસંદ કરવાનો આગ્રહ કર્યો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
