For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હું ફરીથી IPL કમિશ્નરનું પદ સંભાળવા માટે તૈયાર નથી'

|
Google Oneindia Gujarati News

rajiv shukla
નવી દિલ્હી, 29 મે : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં રમતજગતથી લઇને બોલીવુડની થયેલી સંડોવણી બાદ જ્યાં એક બાજુ બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસન પોતાના રાજીનામાને લઇને ફંસાયેલા છે જ્યારે બીજી બાજું પીટીઆઇના હવાલાથી એ સમાચાર આવ્યા છે કે આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ પણ એ કહી દીધું છે કે આઇપીએલ અધ્યક્ષનું પદ સંભાળવા માટે ઇચ્છુક નથી.

સ્પોટ ફિક્સિંગનો મામલો પતવાને બદલે તુત પકડો જઇ રહ્યો છે. આ મામલામાં સતત બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનનું રાજીનામું માગવામાં આવી રહી છે. જેમાં આઇપીએલ કમિશ્નર અને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પણ સવાલોના ઘેરામાં છે.

રાજીવ શુક્લાનું આ નિવેદન સાબિત કરે છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં ભલે તેમને કઇ ખબર ના હોય પરંતુ સટ્ટેબાજીના કાળા ધબ્બાએ આઇપીએલ કમિશ્નરને પણ દાગી બનાવી દીધા છે.

આ પહેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.

English summary
i do not want to become IPL commissioner said rajiv shukla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X