હું કંઇ સાબિત કરવા નથી માંગતોઃ યુવી
હૈદરાબાદ, 16 ઑક્ટોબરઃ દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ 208 રનની ઇનિંગ રમનાર યુવરાજ સિંહે કહ્યું છે કે મારે ના તો કોઇને ખોટા સાબિત કરવા છે અને ના તો હું કઇ સાબિત કરવા માંગુ છું. મારા પ્રયત્નો છે કે હું અંત સુધી રમું.
કેન્સરની સારવાર બાદ ટી20 વિશ્વકપમાં સફળ પુનરાગમન કરનાર યુવરાજે કહ્યું છે કે ટીકાકારો અંગે હું નથી વિચારતો, મારા પ્રયત્નો એ રહે છે કે મારી ટીમ માટે હું સારું પ્રદર્શન કરું. હું બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં જ મારું સો ટકા આપવાનો પ્રયત્ન કરું. ક્યારેક તેમાં સફળતાં મળે છે તો ક્યારેક નથી મળતી.
ટીમ ઇન્ડિયામાં યુવરાજના પુનરાગમન સામે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા, પરંતુ આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી બધાને ખોટા સાબિત કરી દીધા. સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ પોતાની ઇનિંગ દરમિયાન યુવરાજ સિંહે 243 બોલનો સામનો કર્યો હતો.
પોતાની ઇનિંગમાં યુવરાજે કહ્યું કે, રવિવારના દિવસે ખેલ પૂર્ણ થયો ત્યારે હું થાકી ગયો હતો. પરંતુ આ દિવસે મે 200 મીનિટ બેટિંગ કરી અને મારી રમતનો આનંદ લીધો હતો. હું વિચારું છું કે હું જેટલું રમીશ, મારું શરીર તેટલું ફીટ થતું રહેશે. જે રીતે મારું શરીર ફીટ થઇ રહ્યું છે, તેનાથી હું ખુશ છું.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
