IND vs NZ : ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને સ્થાન મળ્યું!
ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શુક્રવારે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
નવી દિલ્હી : ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શુક્રવારે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અજિંક્ય રહાણેને પ્રથમ ટેસ્ટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્માને બંને ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ચેતેશ્વર પૂજારાને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બીજી તરફ બીજી ટેસ્ટ માટે ટીમમાં વિરાટ કોહલીની વાપસી થશે, જે પછી કેપ્ટન્સી સંભાળશે.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે, પરંતુ તે પહેલા બંને ટીમો વચ્ચે 3 મેચની T20I સિરીઝ 17 નવેમ્બરથી જયપુરથી શરૂ થશે. બીજી મેચ 19 નવેમ્બરે રાંચીમાં અને ત્રીજી મેચ 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે.
રોહિત ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. વિકેટકીપર ઋષભ પંત પણ ટેસ્ટ ટીમનો ભાગ નથી. તેમની જગ્યાએ રિદ્ધિમાન સાહા અને કેએસ ભરતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેએસ ભરતની પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 78 મેચમાં 4283 રન બનાવ્યા છે, જેમાં 9 સદી સામેલ છે.
રસપ્રદ વાત એ છે કે, T20I વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ અને ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન, જે ન્યુઝીલેન્ડ સામેની T20I ટીમનો ભાગ છે તેને પણ ટેસ્ટ ટીમમાં સમાવાયા આવ્યા છે. આ માત્ર બે જ ખેલાડીઓ છે જેમને આ વર્ષે જૂનથી બાયો-બબલમાં સમય વિતાવ્યા છતાં આરામ નહીં મળે. શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે સંભવતઃ તે ચોથા નંબર પર રમી શકે છે, કારણ કે કોહલી પ્રથમ ટેસ્ટમાં રમી રહ્યો નથી. અહેવાલો છે કે શુભમન ગીલને મિડલ ઓર્ડરમાં અજમાવવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે, મેનેજમેન્ટ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપે છે કે કેમ. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચ રમવા પરત ફર્યો છે, જ્યારે અક્ષર પટેલ અને જયંત યાદવ પણ ટીમનો ભાગ છે. બુમરાહ અને શમીની ગેરહાજરી છતાં પેસ એટેક હજુ પણ ખતરામાં છે. ઈશાંત શર્મા સાથે ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા ઝડપી બોલિંગમાં આગેવાની કરશે.
ન્યુઝીલેન્ડ ટેસ્ટ માટે ભારતની ટેસ્ટ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા (WK), કેએસ ભરત (WK), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને વિરાટ કોહલી બીજી ટેસ્ટ માટે જોડાશે.