Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બીસીસીઆઇની તપાસ સમિતિની કમાન સંભાળશે રવિશાસ્ત્રી !

ravi-shastri
નવી દિલ્હી, 28 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના તાજા સ્પૉટ ફિક્સિંગ કેસમાં ચેન્નઇ સુપર કિંગ્સના મુખ્ય કાર્યકારી અધિકારી ગુરૂનાથ મયપ્પનની શંકાસ્પદ સંડોવણીની તપાસ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા નિમવામાં આવેલી ત્રણ સભ્યોની તપાસ સમિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન રવિ શાસ્ત્રી તથા બીસીસીઆઇના કોષાધ્યક્ષ અજય શિરકેનો સમાવેશ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિશાસ્ત્રી આ તપાસ સમિતિના પ્રમુખ રહેશે.

બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આઇપીએલ વહીવટી સમિતિના સભ્ય અજય શિરકે અને રવિ શાસ્ત્રી સિવાય આ તપાસ સમિતિમાં સામેલ ત્રણ સભ્યોમાં એક સેવાનિવૃત્ત જજ હશે. બીસીસીઆઇના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરૂણ જેટલી, આઇપીએલના અધ્યક્ષ રાજીવ શુક્લા તથા બીસીસીઆઇના સચિવ સંજય જગદાલેને પણ આ સમિતિમાં સામેલ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસને રવિવારે તપાસ સમિતિ નિમવાની જાહેરાત કરી હતી અને નિષ્પક્ષ સમાત કરવાનું આશ્વાસન આપ્યું હતું. શ્રીનિવાસને કહ્યું હતું કે તપાસ સમિતિ નિમવામાં કે સમિતિની કાર્યપ્રણાલીમાં તેમની કોઇ ભૂમિકા રહેશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂનાથ, શ્રીનિવાસનના જમાઇ છે. ગુરૂનાથને આઇપીએલના તાજેતરના સ્પૉટ ફિક્સિંગ કેસમાં સંડોવણી હોવાના આરોપમાં મુંબઇ પોલીસે ધરપકડ કરી લીધી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X