કોહલીએ પંતનું ટેન્શન વધાર્યુ, મારી પાસે ઘણા વિકેટકીપર છે-કોહલી
આઈપીએલ પછી હવે આઈસીસી ટી 20 વિશ્વ કપનો માહોલ જામી રહ્યો છે. માત્ર બે દિવસ બાદ શરૂ થનારા ટી20 વર્લ્ડ કપને લઈને ઉત્સાહનો માહોલ છે. ટી 20 ક્રિકેટની આ મેગા ઇવેન્ટ રવિવાર 17 અક્ટોબરે ઓમાન અને યુએઇમાં શરૂ થશે.
નવી દિલ્હી : આઈપીએલ પછી હવે આઈસીસી ટી 20 વિશ્વ કપનો માહોલ જામી રહ્યો છે. માત્ર બે દિવસ બાદ શરૂ થનારા ટી20 વર્લ્ડ કપને લઈને ઉત્સાહનો માહોલ છે. ટી 20 ક્રિકેટની આ મેગા ઇવેન્ટ રવિવાર 17 અક્ટોબરે ઓમાન અને યુએઇમાં શરૂ થશે. ટી 20 વર્લ્ડ કપ સાથે દર્શકોને જોડ રાખવા પ્રસારણકર્તાઓ પુરી મહેનત કરી રહ્યા છે.
વર્લ્ડ કપને રોમાંચક બનાવવા માટે ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને દર્શાવતી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જ્યાં એક ટૂંકી વીડિયો ક્લિપમાં કોહલી પંતને કહે છે કે ટી 20 વર્લ્ડ કપ દરમિયાન કેટલી સિક્સર ફટકારવી જોઈએ. વિકેટકીપર-બેટ્સમેને જવાબ આપ્યો કે તે દરરોજ સિક્સરની પ્રેક્ટિસ કરે છે અને એમએસ ધોનીનું ઉદાહરણ આપ્યું, જેને 2011 માં શ્રીલંકા સામે સિક્સર ફટકારીને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.
ધોની જેવો કોઈ નથી અને વીડિયોમાં કોહલીએ એ હકીકતનો સ્વીકાર કર્યો કે ટીમમાં ધોની જેવો વિકેટકીપર બેટ્સમેન નથી. કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ શેર કરેલા વિડીયોમાં વર્ચ્યુઅલ કોલમાં પંતને કહ્યું, રિષભ, છગ્ગા તમને ટી 20 ક્રિકેટમાં મેચ જીતાડે છે. આનો જવાબ આપતા પંતે કહ્યું કે, ચિંતા ન કરો ભાઈ, હું દરરોજ પ્રેક્ટિસ કરતો રહ્યો છું. તે વિકેટકીપર જ હતો, જેણે ભારતને વર્લ્ડ કપ અપાવવા માટે સિક્સર ફટકારી હતી. જવાબમાં કોહલીએ કહ્યું કે, હા, પણ ત્યારથી ભારતને માહી ભાઈ જેવો વિકેટકીપર મળ્યો નથી.
પંતે જવાબમાં કહ્યું કે, તે ટીમના વિકેટકીપર છે અને મેચ સારી રીતે પૂરી કરી શકે છે. પરંતુ પંત સિવાય ટીમમાં કેએલ રાહુલ અને ઇશાન કિશન પણ છે. કોહલીએ તે મુદ્દાની નોંધ લીધી અને કહ્યું, જો મારી પાસે ઘણા વિકેટકીપર છે, ચાલો જોઈએ પ્રેક્ટિસમાં કોણ રમે છે.