ઝિમ્બાબ્વે પ્રવાસમાં ધોની મળી શકે છે વિશ્રામ

મહેન્દ્ર સિંહ ધોનીની માંસપેશીઓમાં ખેંચાવના કારણે ત્રિકોણીય શ્રૃંખલાની બાકીની મેચોમાં રમી શકશે નહી અને હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 24 જૂલાઇથી શરૂ થનારી શ્રૃંખલા માટે હાજર રહેશે કે નહી. જો મહેન્દ્ર સિંહ ધોની આરામ આપવામાં આવે છે તો વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરશે. પસંદગીકર્તા પાસે ટીમમાં કેટલાક અનુભવી ખેલાડી સામેલ કરવા માટે સીનિયર બેસ્ટમેન ગૌતમ ગંભીરને પરત બોલાવવાનો વિકલ્પ છે.
ડાબોડી બેસ્ટમેન ગૌતમ ગંભીર હાલતમાં નબળા પ્રદર્શનના કારણે તેમને પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું હતું. પરંતુ તેમને મુરલી વિજયના સ્થાને સામેલ કરવામાં આવી શકે છે. વિજયને દિલ્હીના શિખર ધવન સાથે બેટીંગ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવી.












Click it and Unblock the Notifications
