જાડેજાએ ફટકારી વનડે મેચોની સદી
મીરપુર(ઢાકા), 2 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ વનડે મેચોમાં સદી પૂરી કરી છે. જાડેજા રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની કારકિર્દીની 100મી મેચ રમવા માટે ઉતર્યો છે.

ભારતે સૌથી વધુ 463 વનડે મેચ સચિન તેંડુલકરે રમી છે. ત્યારબાદ રાહુલ દ્રવિડ(340), મોહમ્મદ અઝહરુદ્દિન(334) અને સૌરવ ગાંગુલીએ(308) રમી છે. હાલના ખેલાડીઓની વાત કરીએ તો યુવરાજ સિંહે સૌથી વધારે 290 મેચ રમી રહ્યાં છે. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગ(241), મહેન્દ્ર સિંહ ધોની(240), હરભજન સિંહ(227), ઝહીર ખાન(194) અને સુરેશ રૈના(189) મેચ રમી છે.












Click it and Unblock the Notifications
