RCB vs LSG : આજે કોહલીના નામે નોંધાઈ શકે છે આ ત્રણ મોટી સિદ્ધિ!
વિરાટ કોહલી IPL 2022ની મેચમાં મોટી ઇનિંગ રમવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી લીગ મેચમાં જે ઈનિંગ્સ રમ્યો હતો તે ઈનિંગ્સ ઇચ્છશે.
કોલકાતા : વિરાટ કોહલી IPL 2022ની મેચમાં મોટી ઇનિંગ રમવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી લીગ મેચમાં જે ઈનિંગ્સ રમ્યો હતો તે ઈનિંગ્સ ઇચ્છશે. કોહલીએ 54 બોલમાં 73 રન બનાવ્યા હતા, જેના કારણે RCB 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જઈ શકી. જો કોહલી એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે સારૂ પ્રદર્શન કરે છે તો તે 3 મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.
આ કરનાર ત્રીજો ફિલ્ડર બની જશે
કોહલી માત્ર એક શાનદાર બેટ્સમેન નથી પણ એક અદભૂત ફિલ્ડર પણ છે. કોહલીએ અત્યાર સુધી હવામાં કૂદકો મારતા પણ ઘણા કેચ લીધા છે, પરંતુ જો તે આ મેચમાં એક પણ કેચ લેશે તો તે T20 ક્રિકેટમાં 150 કેચ પૂરા કરી લેશે. કોહલી એક જ કેચમાં 150 કેચ પૂરા કરનારો ત્રીજો ભારતીય ફિલ્ડર બનશે. તેના પહેલા સુરેશ રૈના (172) અને રોહિત શર્મા (155) 150 થી વધુ કેચ પકડ્યા છે.
આ બાબતે પણ આગળ
આ સિવાય કોહલી IPLમાં RCB માટે 50 વખત 50 પ્લસ સ્કોર કરનાર બેટ્સમેન પણ બની શકે છે. કોહલીને એક ફિફ્ટીની જરૂર છે. જો તે અડધી સદી ફટકારે છે, તો તે કોઈપણ એક ફ્રેન્ચાઈઝી માટે 50-પ્લસ 50 વખત સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની જશે.
ચોક્કા ફટકારવામાં પણ આગળ
કોહલી ચોક્કા મામલે પણ ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે. કોહલીએ ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 944 ચોગ્ગા ફટકાર્યા છે. જો તે લખનૌ સામે 6 ચોગ્ગા લગાવે તો તે T20 ક્રિકેટમાં 950 ચોગ્ગા પૂરા કરી લેશે. કોહલી સૌથી વધુ હિટ મારનાર બીજો ભારતીય છે. શિખર ધવને ભારત માટે T20 ક્રિકેટમાં 1034 ચોગ્ગા ફટકાર્યા છે.