For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેહવાગ-ગંભીરનું ફોર્મ ચિંતાનો વિષયઃ કપિલ દેવ

By Super
|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 20 ઑક્ટોબરઃ ભારતના પૂર્વ સુકાની કપિલ દેવનું કહેવું છે કે વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરનુ ફોર્મ એક ચિંતાનો વિષય છે, કારણ કે ભારતે હવે ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. કપિલ કહ્યું કે, સેહવાગ અને ગંભીર એવા ખેલાડી છે જે પોતાના દમ પર ભારતને જીત અપાવી શકે છે, તેવામાં તેમનું રન નહીં બનાવવું એ એક ચિંતાનો વિષય છે.

virender-sehwag-gambhir
કપિલ દેવે વધુમાં કહ્યું છે કે, આ બન્ને ખેલાડી ટીમ ઇન્ડિયા માટે ઘણા જ મહત્વના છે અને મોટા ખેલાડી છે. તેમનું ખરાબ ફોર્મ ટીમને મુશ્કેલીમા મુકી શકે છે. વર્ષ 2012માં વિરેન્દ્ર સેહવાગે નવ વનડે મેચ રમી છે અને આ દરમિયાન તેણે 23.66ની એવરેજથી માત્ર 213 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 96 રન છે જે તેણે શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો.

સેગવાગે ટેસ્ટ ક્રિકેટમાં પાચં મેચોમાં 28ની એવરેજથી 223 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વાધિક સ્કોર 68 રનનો છે. સેહવાગની જેમ ગંભીર પણ ફોર્મ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે. તેણે પાંચ ટેસ્ટમાં 24.77ની એવરેજથી 23 રન બનાવ્યા છે. જેમાં સર્વાધિક રન 83 છે.

જો કે, ગંભીરે વનડેમાં બે સદી અને પાંચ અડધી સદી ફટકારી છે પરંતુ ટેસ્ટમાં તેનું પ્રદર્શન કંઇ ખાસ નથી. આ અંગે કપિલે કહ્યું કે હવે ટીમની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ખેલાડીઓએ જલદી ફોર્મમાં આવવું જરૂરી છે.

English summary
Former India skipper Kapil Dev feels the recent form of Virender Sehwag and Gautam Gambhir would be a concern for Team India as they are scheduled to play Test series against Australia and England in the coming months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X