સેહવાગ-ગંભીરનું ફોર્મ ચિંતાનો વિષયઃ કપિલ દેવ

નવીદિલ્હી, 20 ઑક્ટોબરઃ ભારતના પૂર્વ સુકાની કપિલ દેવનું કહેવું છે કે વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરનુ ફોર્મ એક ચિંતાનો વિષય છે, કારણ કે ભારતે હવે ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. કપિલ કહ્યું કે, સેહવાગ અને ગંભીર એવા ખેલાડી છે જે પોતાના દમ પર ભારતને જીત અપાવી શકે છે, તેવામાં તેમનું રન નહીં બનાવવું એ એક ચિંતાનો વિષય છે.

virender-sehwag-gambhir
કપિલ દેવે વધુમાં કહ્યું છે કે, આ બન્ને ખેલાડી ટીમ ઇન્ડિયા માટે ઘણા જ મહત્વના છે અને મોટા ખેલાડી છે. તેમનું ખરાબ ફોર્મ ટીમને મુશ્કેલીમા મુકી શકે છે. વર્ષ 2012માં વિરેન્દ્ર સેહવાગે નવ વનડે મેચ રમી છે અને આ દરમિયાન તેણે 23.66ની એવરેજથી માત્ર 213 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 96 રન છે જે તેણે શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો.

સેગવાગે ટેસ્ટ ક્રિકેટમાં પાચં મેચોમાં 28ની એવરેજથી 223 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વાધિક સ્કોર 68 રનનો છે. સેહવાગની જેમ ગંભીર પણ ફોર્મ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે. તેણે પાંચ ટેસ્ટમાં 24.77ની એવરેજથી 23 રન બનાવ્યા છે. જેમાં સર્વાધિક રન 83 છે.

જો કે, ગંભીરે વનડેમાં બે સદી અને પાંચ અડધી સદી ફટકારી છે પરંતુ ટેસ્ટમાં તેનું પ્રદર્શન કંઇ ખાસ નથી. આ અંગે કપિલે કહ્યું કે હવે ટીમની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ખેલાડીઓએ જલદી ફોર્મમાં આવવું જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X