For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોયકોટની ભવિષ્યવાણી, 'સેહવાગની ટીમ ઇન્ડિયામાંથી થશે વિદાય'

By Super
|
Google Oneindia Gujarati News

Virender-Sehwag
નવી દિલ્હી, 11 એપ્રિલઃ ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન જ્યોફ્રી બોયકોટે કહ્યું કે વિરેન્દ્ર સેહવાગને બીજી વખત ભારત માટે રમવું સંભવ નથી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેટલીક મેચો રમ્યા પછી 'દુઃખદ રીતે તેની વિદાય' થઇ જશે.

સહેવાગને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં અંતિમ બે ટેસ્ટ મેચોમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવેલા 30 સંભવિત ખેલાડીઓની યાદીમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો નથી. બોયકોટે એક શોમાં કહ્યું કે, મને નથી લાગતુ કે તે બીજી વખત રમી શકશે. મને આવું એ માટે લાગે છે, કારણ કે ભારતીય ટીમ સાચી દિશામાં આગળ વધી રહી છે. તેને અહીં ત્યાં સુધી પહોંચવા માટે થોડો સમય લાગ્યો. હવે યુવા ખેલાડીઓને તક આપી છે.

એપ્રિલ 2012 બાદ આઠ ટેસ્ટ મેચોમાં સહેવાગ 31.38 રનની એવરેજથી માત્ર 408 રન જ બનાવી શક્યો છે, જેમાં 117 સર્વશ્રેષ્ઠ હતા. આ દરમિયાન છ વનડે મેચોમા તેણે 30.5ની એવરેજથી 183 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

English summary
Former England batsman Geoffrey Boycott says Virender Sehwag is unlikely to play for India again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X