ધોનીના સ્થાને સેહવાગને સુકાની બનાવા ઇચ્છતા'તા પસંદગીકારો
અમરનાથે કહ્યું કે ધોનીને હટાવવાનો દમ પસંદગી સમિતિમાં નથી. નોંધનીય છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સતત ટેસ્ટ શ્રેણી હાર્યા પછી આ પૂર્વ ખેલાડીએ ધોનીને સુકાનીપદેથી હટાવવાનું સૂચન કર્યું હતું, જેના કારણે તેમને તાજેતરમાં બનેલી નવી પસંદગીસમિતિમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ધોનીને હટાવ્યા પછી વિકેટકીપર કોણ હશે, એ પ્રશ્નના જવાબમાં અમરનાથે કહ્યું હતું કે દેશમાં અનેક પ્રતિભાશાળી વિકેટકીપર છે. જે ધોનીના કારણે ટીમમાં સ્થાન મેળવી શકતા નથી.
ટીમ ઇન્ડિયાએ જૂલાઇ 2011થી અત્યારસુધી 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 10 ટેસ્ટ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ધોનીએ 34.8ની એવરેજથી 836 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી હાલની શ્રેણીમાં ત્રણ મેચોમાં તેણે 18.4ની એવરેજથી માત્ર 92 રન બનાવ્યા છે. અમરનાથે જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું પ્રદર્શન કરનાર ખેલાડીને ટીમમાં સામેલ કરી શકાય નહીં, પરંતુ તે તો નેતૃત્વ કરી રહ્યો છે.
ધોનીને સુકાનીપદેથી કેમ હટાવવામાં આવ્યો નથી, અમરનાથે એ અંગે કહ્યું કે તે અંગે અત્યારે કંઇ કહીં શકું નહીં પરંતુ સમય આવ્યે બતાવીશ, અમરનાત ઉપરાંત ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ પણ ધોનીના સ્થાને અન્ય કોઇને સુકાની બનાવવા અંગે સૂચન કર્યા છે.