રાજીવ શુક્લાની સલાહ, પોતાને તપાસથી દૂર રાખે શ્રીનિવાસન
બેઠક બાદ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ. સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ. શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે, હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે. તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી. ભલામણ સીધી રીતે લાગૂ થાય.
આને રાજીવ શુક્લાનું બદલાયેલું વલણ માની શકાય છે. આ પહેલા શુક્લાએ આ રીતે શ્રીનિવાસનને કઇપણ કહ્યું ન્હોતું. શ્રીનિવાસનને તપાસ પ્રક્રિયાથી દૂર રહેવાની સલાહ આપીને રાજીવ શુક્લાએ તેમની પર દબાણ વધારી દીધું છે.
આ પહેલા કેન્દ્રીય નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ શ્રીનિવાસન પાસે રાજીનામુ આપવાની માંગ કરી હતી. જોકે અત્યાર સુધી ક્રિકેટના કોઇપણ પદાધિકારી શ્રીનિવાસનની સામે બોલવા માટે આગળ આવ્યો નથી. જેને બોર્ડમાં શ્રીનિવાસનની ધાકના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.