દીપા કરમાકરે પાછી આપી સચિનની બીએમડબલ્યૂ, ખરીદી નવી કાર
ત્રિપુરાના રસ્તા ખરાબ હોવાને કારણે દીપાએ ભેટમાં મળેલી બીએમડબલ્યૂ કાર પાછી આપી કેશ આપવાની વાત કરી હતી...
રિયો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર દીપા કરમાકરે છેવટે ભારત રત્ન સચિન તેંડુલકરના હાથે મળેલી બીએમડબલ્યૂ કાર પાછી આપી દીધી છે અને તેના બદલે કેશ લઇ લીધા છે. દીપાએ કારના બદલે મળેલા 25 લાખ રુપિયાથી હ્યૂંડાઇ ઇલેંટ્રા લઇ લીધી છે.

તમને જણાવી દઇએ કે ત્રિપુરાના રસ્તા ખરાબ હોવાને કારણે દીપાએ ભેટમાં મળેલી બીએમડબલ્યૂ પાછી આપીને કેશ આપવાની વાત કરી હતી. જો કે ત્રિપુરા સરકારે કહ્યુ હતુ કે તે દીપાના ઘર સુધીના રસ્તા ઠીક કરશે પરંતુ દીપાના પરિવારે કહ્યુ હતુ કે આટલી મોંઘી કારની જાળવણી પણ ઘણી મુશ્કેલ છે માટે કારને પાછી આપી કેશ આપવી વધુ સારુ રહેશે.
આંધ્રપ્રદેશના બિઝનેસમેન અને પૂર્વ ક્રિકેટર વી. ચામુંડેશ્વરનાથ
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના બિઝનેસમેન અને પૂર્વ ક્રિકેટર વી. ચામુંડેશ્વરનાથ કે જે હૈદરાબાદ ડિસ્ટ્રીક્ટ બેડમિંટન એસોસિએશનના પ્રેસિડેંટ અને સચિન તેંડુલકરના બહુ નજીકના દોસ્ત છે. તેમણે રિયો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર સ્ટાર ખેલાડીઓ શટલર પી વી સિંધુ, રેસલર સાક્ષી મલિક, જિમનાસ્ટ દીપા કરમાકર અને સિંધુના કોચ ગોપીચંદને બીએમડબલ્યૂ કાર ભેટમાં આપી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
