સૂર્યકુમાર યાદવે આગામી T20 વર્લ્ડકપને લઈને આ મોટી વાત કરી!
IPL ની 14 મી આવૃત્તિની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 40 બોલમાં 82 રનની ધમાકેદાર ઈનિંગ સાથે ફોર્મમાં પરત ફર્યા બાદ સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી આવૃત્તિની છેલ્લી મેચમાં શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 40 બોલમાં 82 રનની ધમાકેદાર ઈનિંગ સાથે ફોર્મમાં પરત ફર્યા બાદ સૂર્યકુમાર યાદવે આગામી સપ્તાહથી શરૂ થનારી આગામી T20 વર્લ્ડ કપ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હું સારો છું, જેવો હોવો જોઈએ. દિવસના અંતે શો ચાલુ રહેવો જોઈએ અને જે થાય તે તમારે હસતા રહેવું જોઈએ. અમારી પાસે ગુમાવવાનું કંઈ નહોતું.
યાદવે આગળ કહ્યું કે, અમારૂ એક લક્ષ્ય હતું. અમે તેની પાછળ દોડતા રહ્યા. પિચ સારી હતી. વિજેતા પક્ષમાં રહેવું આનંદની વાત છે. આગામી ટી 20 વર્લ્ડ કપ અંગે તેણે કહ્યું કે, વિશ્વ કપ એક મોટી ટુર્નામેન્ટ છે. અમે કંઈપણ બદલતા નથી. પ્રક્રિયા અને રૂટિન બધુ સમાન રહે છે. હું ખરેખર તેની રાહ જોઈ રહ્યો છું. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે કોલકત્તા નાઈટ રાઈડર્સે અંતિમ પ્લેઓફમાં પછાડ્યા બાદ તેની ટીમને તેની અસંગતતાની કિંમત ચૂકવવી પડી હતી.
પાંચ વખતની ચેમ્પિયન મુંબઇએ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું હતું, પરંતુ કોલકાતાએ તેની સારી રન રેટના આધારે પ્લેઓફમાં છેલ્લુ સ્થાન મેળવ્યું હતું, બંને ટીમોએ 14 મેચમાંથી સાત-સાત જીત મેળવી હતી. રોહિતે જણાવ્યું હતું કે ખિતાબની હેટ્રિકનો પીછો કરતી મુંબઈને બ્રેકથી મદદ મળી ન હતી. જ્યારે તમે મુંબઈ જેવી ફ્રેન્ચાઇઝી માટે રમો છો, ત્યારે તમારી પાસે હંમેશા બહાર જઈને પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ વખતે અમારી પાસે ઓન-ઓફ-સીઝન છે. ઓબુ ધાબીમાં જીત બાદ રોહિતે કહ્યું કે. અમે દિલ્હીમાં ગતિ મેળવી રહ્યા હતા અને એક બ્રેક હતો, જેનાથી ટીમને મદદ ન મળી. આ સામૂહિક નિષ્ફળતા હતી.