ફીફા વિશ્વકપઃ પરાજય બાદ સ્વિત્ઝરલેન્ડના કોચે લીધો સન્યાસ
સાઓ પાઉલો, 2 જુલાઇઃ ફીફા વિશ્વકપના અંતિમ 16 મુકાબલામાં અર્જેન્ટિના સાથે પરાજય મળ્યા બાદ સ્વિત્ઝરલેન્ડના કોચ ઓટમાર હિટ્જફેલ્ડે નિવૃતિની જાહેરાત કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું છેકે, મારા ખેલાડીઓએ મેચ બાદ જે પ્રકારની પ્રતક્રિયા આપી તે બદલ હું તેમને શુભેચ્છા પાઠવું છું. અમે અમારું માથું ઉંચુ કરીને ટૂર્નામેન્ટમાંથી વિદાઇ લઇ રહ્યાં છીએ.

હિટ્ઝફેલ્ડે સ્વિસ ટીમના કોચિંગ પદની જવાબદારી 2008માં સંભાળી હતી. વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વિશ્વકપમાં ટીમ ગ્રુપ વર્ગમાંથી બહાર થઇ ગઇ હતી. હિટ્ઝફેલ્ડે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત 1983થી કરી હતી. હિટ્ઝફેલ્ડ એ પાંચ ખેલાડી કોચ ફૂટબોલ કોચમાં સામેલ છે, જેમણે બે અલગ-અલગ ક્લબમાં રહીને યુઇએફએ ચેમ્પિયન્સ લીગ જીતાડવામાં પોતાની ટીમને માર્ગદર્શન કર્યું. સૌથી પહેલા 1997માં ડૉર્ટમુંડ ક્લબ અને ત્યારબાદ 2001માં બેયર્ન મ્યુનિખે હિટ્ઝફેલ્ડના માર્ગદર્શનમાં આ ખિતાબ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
