ઉમરાન મલિકને મળી શકે છે સરકારી નોકરી, સરકાર ટ્રેનિંગ પર પણ ધ્યાન આપશે!
જમ્મુ અને કાશ્મીરના યુવા બોલર ઉમરાન મલિકે IPL 2022માં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 14 મેચમાં 22 વિકેટ ઝડપી છે.
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના યુવા બોલર ઉમરાન મલિકે IPL 2022માં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 14 મેચમાં 22 વિકેટ ઝડપી છે. 150 kmphની ઝડપે સતત બોલિંગ કરવાની તેની ક્ષમતા માટે તેને દક્ષિણ આફ્રિકા સામેની આગામી T20I શ્રેણી માટે ભારતની રાષ્ટ્રીય ટીમમાં બોલાવવામાં આવ્યો છે.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ઉમરાનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને IPLની 15મી આવૃત્તિમાં તેના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સિંહાએ એમ પણ કહ્યું કે સરકાર ઉમરાનની તાલીમ અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખશે.
મનોજ સિંહાએ હાજર પત્રકારોને કહ્યું, "સમગ્ર દેશને ઉમરાન પર ગર્વ છે. સરકાર તેની તાલીમ અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખશે." આ સિવાય જ્યારે પત્રકારોને પૂછવામાં આવ્યું કે શું બોલરને કોઈ સરકારી નોકરી આપવામાં આવશે. તો મનોજ સિન્હાએ કહ્યું હતું કે, સ્પોર્ટ્સ પોલિસીમાં જોગવાઈ છે અને તેઓ જ્યારે ઈચ્છશે ત્યારે સરકાર તેમને આ તક આપશે.
ઉમરાન મલિકે આઈપીએલ 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેની આઈપીએલની શરૂઆત કરી હતી, જ્યારે તેને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. તે SRH માટે છેલ્લી સિઝનમાં માત્ર ત્રણ મેચમાં જ રમી શક્યો હતો, તેણે માત્ર બે વિકેટ લીધી હતી. બાદમાં IPL 2022 ની મેગા હરાજી પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ઉમરાન સાથે કેપ્ટન કેન વિલિયમસન અને અબ્દુલ સમદને 4 કરોડમાં રિટેન કર્યા હતા.
આ સિઝનમાંન તેણે તેની ઝડપી ગતિ અને સચોટતા પર સતત બોલિંગથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે અને પ્રભાવિત કર્યા છે. ચાહકો અને ક્રિકેટે ઉમરાનની સફળતાનો શ્રેય ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને આપ્યો છે, જેણે તેની પ્રતિભાને નિખારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.