World Cup Final : ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ વધારતુ ભારતીય રેલવે, વર્લ્ડ કપને લઈને સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહેલી વર્લ્ડ કપની ફાઈનલને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. આ ઉત્સાહને ભારતીય રેલવેએ વધાર્યો છે.
ભારતીય રેલ્વેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન મુંબઈ અને અમદાવાદના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દોડાવાશે.

ટ્રેન નંબર 01153 સીએસએમટી-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ 18 નવેમ્બરે રાત્રે 10.30 વાગે સીએસએમટીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 06.40 વગે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 01154 અમદાવાદ-CSMT સ્પેશિયલ એક્સપ્રેસ અમદાવાદથી 20 નવેમ્બરે રાતે 01.45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 10.35 વાગ્યે CSMT પહોંચશે. આવતી-જતી વખતે આ સ્પેશિયલ ટ્રેન દાદર, થાણે, વસઈ રોડ, સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે.
ક્રિકેટ વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન નંબર 01153/01154 માટેનું બુકિંગ તમામ કોમ્પ્યુટરાઈઝડ આરક્ષણ કેન્દ્રો અને વેબસાઈટ www.irctc.co.in પર શરૂ થઈ ગયુ છે.
અહેવાલો અનુસાર, મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓના જબરદસ્ત ઉત્સાહને જોતા એરલાઈન્સ કંપનીઓ પણ અમદાવાદ માટે વધારાની ફ્લાઈટ્સ ચલાવી રહી છે. સામાન્ય રીતે શનિવારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દરરોજ 18 ફ્લાઈટ હોય છે. મેચને કારણે આ સંખ્યામાં વધારો થયો છે.
દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટનું ભાડું 14,000 થી 39,000 સુધીનું છે. જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 10,000 થી 32,000 વચ્ચે છે. બુકિંગ પોર્ટલ અનુસાર, બેંગલુરુથી અમદાવાદનું ભાડું 26,999 થી 33,000 ની વચ્ચે છે.
ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુરુવારે મોડી સાંજે અમદાવાદ પહોંચી છે. ટીમે શુક્રવારે પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય છેલ્લી વખત 2013માં ICC ટ્રોફી જીતી હતી.
ભારતીય કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા અમદાવાદ પહોંચી શકે છે. કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે 1983માં પ્રથમ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011માં બીજી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
