Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પર ચાંપતી નજર રખાશે

bcci
નવી દિલ્હી, 29 મે : આઈપીએલ ફિક્સિંગ કૌભાંડથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો છે ત્યારે હવે ક્રિકેટ બોર્ડ ખૂબ સતર્ક થઈ ગયું છે અને તેણે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કડક પગલાં લીધા છે. અહેવાલો અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ટીમ ઈન્ડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

આ અંગે ભારતીય ટીમના મેનેજર રણજીબ બિસ્વાલને બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમણે ખેલાડીઓને પૂર્વ પરવાનગી વગર તેમની હોટેલમાંથી બહાર જવા દેવા નહીં. ખેલાડીઓ માટે બહારથી કોઈના ફોન કોલ્સ પણ આવવા દેવા નહીં.

ક્રિકેટ બોર્ડે સખ્તાઈભર્યું વલણ અપનાવ્યું છે તેનો નિર્દેશ મંગળવારે જ મળી ગયો હતો ત્યારે પત્રકાર પરિષદમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ વિશેના પ્રશ્નો વખતે કોઈ જવાબ આપ્યો નહોતો અને માત્ર મૌન જાળવી રાખ્યું હતું. દેખીતી રીતે જ, ધોનીને ક્રિકેટ બોર્ડે જ પત્રકારોના જવાબ ન આપવા પહેલેથી જ જણાવી દીધેલું અને ધોનીએ તેનો અમલ કરવો પડ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X