સંસદીય દળની બેઠકમાં ભાવુક થયા પીએમ મોદી, જાણો નોટબંધી વિશે શું કહ્યુ
પક્ષના સાંસદોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણી સરકાર ગરીબોની ભલાઇ માટે છે. 70 વર્ષોથી ગરીબો કાળાનાણાંથી પરેશાન છે...
નોટબંધીને કારણે ગરમાયેલુ રાજકારણ શમવાનું નામ લેતુ નથી. સંસદમાં આજે પણ હોબાળો થયો. આ ગતિરોધને કારણે વિપક્ષને વળતો જવાબ આપવા માટે મંગળવારે સંસદીય દળની બેઠક થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવેલી આ બેઠકમાં સંસદમાં પલટવાર માટે સરકારે ઘણી રણનીતિઓ બનાવી.

ભાવુક થયા પીએમ મોદી
આ બેઠકમાં બોલતા પીએમ મોદી ભાવુક થઇ ગયા. પક્ષના સંસદોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણી સરકાર ગરીબોની ભલાઇ માટે છે. 70 વર્ષોથી ગરીબો કાળાનાણાંથી પરેશાન છે. તેમણે કહ્યું કે આ નિર્ણય ગરીબ અને મધ્યમવર્ગના હિતમાં છે. કૃપા કરીને આ નિર્ણયને સર્જીકલ સ્ટ્રાઇક ના કહેશો. તેમણે જણાવ્યુ કે નોટબંધીને સર્જીકલ સ્ટ્રાઇક સાથે જોડવામાં ન આવે. આ નિર્ણય દેશહિત અને ગરીબો માટે લેવામાં આવ્યો છે.

સરકારનું ઐતિહાસિક પગલુ
વળી ભાજપની સંસદીય દળની બેઠકમાં જેટલીએ કહ્યું કે ગરીબી હટાવવા માટે નોટબંધી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયનું સમર્થન આખા દેશે કર્યુ છે. તેમણે નોટબંધીને સરકારનું એક ઐતિહાસિક પગલુ ગણાવતા કહ્યુ કે આ નિર્ણય લેવા માટે બહુ હિંમત જોઇએ.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
