એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી કાઢો પૈસા, જાણો કેવી રીતે...
હવે તમારે એટીએમ કાર્ડ લઇને ફરવાની જરુર નથી. તમે એટીએમ કાર્ડ વગર જ એટીએમ મશીનમાંથી પૈસા કાઢી શકો છો...
હાલમાં દેશભરમાં એટીએમ, બેંક અને નોટોની જ વાત ચાલી રહી છે. કોઇ જગ્યાએ ભીડ દેખાય તો તમે સમજી જશો કે ત્યાં નજીકમાં કોઇ એટીએમ કે બેંક આવેલી છે. નોટબંધી બાદ સવાર પડતા જ બેંકો અને એટીએમની બહાર લાંબી લાઇનો લાગી જાય છે.

લોકો પોતાનુ એટીએમ કાર્ડ લઇને ફરી રહ્યા છે કે જો ક્યાંક નાની લાઇન દેખાય તો ત્યાં જઇને તે પૈસા કાઢી શકે પરંતુ દરેક જગ્યાએ તેમને નિરાશ થવુ પડે છે. લાંબી લાઇનો અને ભીડમાં કાર્ડ ગુમ થવાની કે ચોરાઇ જવાની પણ સંભાવના રહે છે.

અમે તમને એક રીતે બતાવીએ છીએ જેમાં તમારે એટીએમ કાર્ડ લઇને ફરવાની હવે જરુર નથી. એટલે કે એટીએમ વગર જ તમે એટીએમ મશીનમાંથી પૈસા કાઢી શકો છો. આવો તમને જણાવીએ કે કાર્ડ વગર કેવી રીતે તમે પૈસા કાઢી શકશો...

શું છે પ્રક્રિયા
કાર્ડ વગર પૈસા કાઢવા માટે તમારે સૌથી પહેલા પોતાને એટલે કે એકાઉંટ હોલ્ડરને બેંકમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તમે બેંકના કસ્ટમર સર્વિસ સેંટર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
રજિસ્ટ્રેશન થયા બાદ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પર્સનલ આઇડેંટીફિકેશન નંબર મળશે.
4 અંકોનો આ વેરીફિકેશન નંબર એટીએમ પીનની જેમ કામ કરશે.
આ પીન તમને એટીએમ મશીનમાંથી કાર્ડ વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે.

કાર્ડ વગર કેવી રીતે કાઢશો પૈસા
આ સુવિધા માટે તમારે તમારા ફોન પર પોતાની બેંકની મોબાઇલ એપ્લીકેશન એપ ડાઉનલોડ કરવી પડશે.
આ એપ ખોલ્યા બાદ તમે એ જ એમપીન આમાં ફીડ કરશો જે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર બેંક તરફથી મોકલવામાં આવ્યો છે.
એમપીન નાખ્યા બાદ તમારે એપમાં કાર્ડલેસ વિથડ્રોઅલ ઓપ્શન પસંદ કરવાનું રહેશે.
ત્યારબાદ તમને મોબાઇલ પર એક અસ્થાઇ પાસવર્ડ મળશે.
ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ બનાવવાનો રહેશે.
આ પાસવર્ડની મદદથી તમે એટીએમ પર જઇને કેશ ઓન મોબાઇલ ઓપ્શન દ્વારા એટીએમ કાર્ડ વગર જ પૈસા કાઢી શકશો.
આ ઓપ્શન દ્વારા તમે 5000 રુપિયા સુધી જ કાઢી શકશો.
જો કે આ સેવા હજુ સુધી બધી બેંકોમાં શરુ થઇ નથી. અમુક બેંકોમાં જ કેશ ઓન મોબાઇલની સુવિધા છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
