Acid Rain : શું હોય છે એસિડ વરસાદ? જાણો કેવી રીતે થાય છે આ વરસાદ?
Acid Rain : સામાન્ય રીતે વરસાદ ખેતી અને પશુ-પક્ષીઓ માટે સારો માનવામાં આવે છે. જો કે પહેલો વરસાદ ઘણી વખત ખેતી માટે નુકસાન કારક પણ હોઈ શકે છે.
આ જ કારણ છે કે વડીલો ચોમાસાના પહેલા વરસાદમાં પલળવાની ના પાડે છે. આની પાછળ એસિડ વરસાદને જવાબદાર માનવામાં આવે છે.

એસિડ વરસાદ
એસિડ વરસાદ એ વરસાદનો એક પ્રકાર છે જે અસામાન્ય રીતે એસિડિક હોય છે. આ ઘટનાનું મુખ્ય કારણ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, ધૂળ, કણો અને ઔદ્યોગિક અને અશ્મિભૂત સ્ત્રોતોમાંથી આવતું વાયુ પ્રદૂષણ છે.
તેમાં એસિડની વધુ માત્રા હોય છે. જ્યારે કોઈપણ બિનજરૂરી તત્વો વાતાવરણની શુદ્ધ હવામાં આવે ત્યારે જો તેનું પ્રમાણ વધુ હોય તો તે એસિડ વરસાદનું કારણ બને છે.
એસિડ વરસાદ અસામાન્ય રીતે એસિડિક હોય છે. આ એસિડિક વરસાદ ઝરમર, ધુમ્મસ, બરફ અથવા ઘન ટુકડાઓના સ્વરૂપમાં પડે છે અને ઔદ્યોગિક કામગીરી દ્વારા ઉત્પાદિત સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ અને અશ્મિભૂત ઇંધણના દહનને કારણે થાય છે.
એસિડ વરસાદ મુખ્યત્વે માણસોના કારણે થાય છે. કારખાનાની ચીમનીમાંથી નીકળતો ધુમાડો, વાહનોમાં વપરાતા ડીઝલ અને પેટ્રોલના કારણે સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડના રૂપમાં એસિડનો વરસાદ થાય છે.
આ ઉપરાંત ભઠ્ઠામાં કોલસાના દહનમાંથી પણ સલ્ફર ગેસ નીકળે છે. એર કંડિશનર, પાવર પ્લાન્ટ અને અન્ય ઘણા કારણોસર સલ્ફર પણ છોડવામાં આવે છે, અહીં સલ્ફર વરસાદના પાણીને અસર કરે છે. આ વરસાદને એસિડ વરસાદનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
એસિડ વરસાદ છોડવાઓ માટે જોખમી છે. તે છોડના પાંદડાને નુકસાન પહોંચાડી શકે છે અને વૃદ્ધિ અટકાવી શકે છે. તે આબોહવાને પણ અસર કરે છે. તેનાથી પાણીની ગુણવત્તા બગડે છે.
એસિડ વરસાદ નદીઓ અને તળાવોમાં જીવોના જીવનને અસર કરી શકે છે. એસિડ વરસાદને કારણે તાજમહેલ પરનો આરસ પીળો થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ તાજમહેલની આસપાસના વિસ્તારોમાં આવેલી મોટી ફેક્ટરીઓમાંથી નીકળતું સલ્ફર છે.
એસિડ વરસાદને કારણે ખેતરોની જમીન એસિડિક બને છે અને તેની ખરાબ અસર ખેતરો પર પડે છે. જમીનમાં જોવા મળતા જીવો પર પણ તેની ખરાબ અસર પડે છે અને તેની સાથે જમીન પણ પ્રદૂષિત થાય છે. જેના કારણે ગુણવત્તા પર પણ ઊંડી અસર પડે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ











Click it and Unblock the Notifications
