Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુરિયા સાથે આ ખાતરનો ક્યારેય ઉપયોગ ન કરો, મોટા પાયે ઘટી જશે ઉત્પાદન

ભારત ખેતી પ્રધાન દેશ છે અને મોટાભાગની ખેતીમાં યુરિયા ખાતરનો મોટાપાયે ઉપયોગ થાય છે. તમામ પાકોમાં યુરિયા સૌથી મહત્વનું ખાતર છે ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે.

મોટા ભાગના ખેડૂતો માને છે કે યુરિયાથી ઉત્પાદન મળે છે પરંતુ યુરિયાનો વધુ પડતો ઉપયોગ પાકને ઝેરી બનાવે છે. આ સ્થિતિમાં ખેડૂતોએ તેમની ખેતીમાં સંતુલિત માત્રામાં યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ.

urea

જણાવી દઈએ કે, સારા ઉત્પાદન માટે ખેડૂતોએ યુરિયા સાથે તેના જેવા જ અન્ય સમાન ખાતરનો ક્યારેય ઉપયોગ ટાળવો જોઈએ. નેનો યુરિયાની ચર્ચા છે અને તે પ્રવાહી સ્વરૂપમાં આવે છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

અહેવાલો આવી રહ્યા છે કે, નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોની ઉપજમાં ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ નેનો યુરિયાના ઉપયોગની અસર ઉપજમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી છે.

પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના સંશોધન મુજબ, નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજ પર નકારાત્મક અસર, પ્રોટીન સામગ્રીમાં નોંધપાત્ર ઘટાડો અને ખેતી ખર્ચમાં એકંદર વધારો જોવા મળ્યો છે. નેનો યુરિયા પર આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનના પરિણામોએ ઉપજમાં વધારો કરવાના દાવા પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.

હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ નેનો યુરિયા અંગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પ્રાકૃતિક ખેતીના વલણ પર ચર્ચા કરતા કહ્યું કે ખેડૂતોએ રાસાયણિક ખાતરોના ઉપયોગ પર નિયંત્રણ રાખવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોએ યુરિયાની સાથે નેનો યુરિયાનો ઉપયોગ ન કરવો, તેમણે માત્ર નેનો યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ.

યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતોએ તેની સાથે નેનો યુરિયાનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ નેનો યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતોએ માત્ર નેનો યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. માનવામાં આવે છે કે યુરિયાની સાથે નેનો યુરિયાનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.

પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના નેનો યુરિયાને લઈને સંશોધનમાં પરંપરાગત નાઈટ્રોજનની સરખામણીમાં ડાંગર અને ઘઉંની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો છે. નેનો-યુરિયાના ઉપયોગને કારણે ઘઉંની ઉપજમાં 21.6 ટકા અને ડાંગરની ઉપજમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

પ્રયોગમાં એ પણ જાણવા મળ્યું છે કે નેનો-યુરિયાના ઉપયોગથી જમીન ઉપરના ટીલર બાયોમાસ અને મૂળની ઘનતામાં ઘટાડો પણ જોવા મળ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X