Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Dhan Dhanya Krishi Yojana : કેન્દ્ર સરકારે PM ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી

PM Dhan Dhanya Krishi Yojana : કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રિય કેબિનેટે પીએમ ધન-ધન્ય કૃષિ યોજના (PM Dhan Dhanya Krishi Yojana)ને મંજુરી આપી છે.

આ યોજના માટે દર વર્ષે અંદાજે ₹24,000 કરોડનો ખર્ચ થશે અને તે આગામી 6 વર્ષ સુધી અમલમાં રહેશે.

PM Dhan Dhanya Krishi Yojana

આ યોજના અંતર્ગત 36 વિવિધ કૃષિ યોજનાને એકઠી કરીને અમલમાં લાવવામાં આવશે, જેને કારણે ખેડૂતોને સીધો અને અસરકારક લાભ મળશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત 1.7 કરોડ ખેડૂત પરિવારોને લાભ મળશે, ખાસ કરીને એવા ખેડૂતોને જે હજુ પણ ઓછા ઉત્પાદન સાથે ઝઝુમે છે.

પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની મુખ્ય બાબતો

  • 100 જિલ્લાઓને આવરી લેશે જેમને ખેતીમાં વધુ આધારની જરૂર છે.
  • પાક પછીના સંગ્રહ અને ભંડાર સુવિધાઓમાં વધારો થશે.
  • સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરીને પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ
  • કૃષિ ઉત્પાદકતામાં વધારો અને ખેડૂત આવકમાં વૃદ્ધિ.
  • ખેતીનું આધુનિકીકરણ અને નવી ટેકનોલોજીનો સમાવેશ.

આ યોજનાની જાહેરાત વર્ષ 2025ના બજેટ દરમિયાન કરવામાં આવી હતી. તેના અમલથી ખેડૂતોને ઉત્પાદન વધારવા, પાક ભંડારણને ટેકો અને વધુ આવક મેળવવામાં સહાય મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X