Sardar sarovar dam : નર્મદા કમાન્ટ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર, ડેમની સપાટીમાં મોટો વધારો
Sardar sarovar dam : નર્મદા નદી પર આવેલા ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં મોટો વધારો જોવા મળ્યો છે.
હાલ નર્મદા ડેમ સરદાર સરોવરની જળસપાટી 121.40 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી સતત વધતી પાણીની આવકના કારણે ડેમમાં પાણીનો સંગ્રહ ઝડપથી વધી રહ્યો છે.
હાલમાં ડેમ 55 ટકા જેટલો ભરાઈ ગયો છે, જે ખેતી અને પીવાના પાણી માટે રાહતરૂપ સાબિત થશે.

ડેમમાં પાણીની વધતી આવકને કારણે હવે વીજ ઉત્પાદનની દિશામાં પણ પગલાં લેવાયા છે. આરબિએચપી (RBPH)ના ત્રણ પાવરહાઉસ અને સીএইચપિએચ (CHPH)નું એક પાવરહાઉસ ફરીથી કાર્યરત કરાયું છે, જેથી વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યું છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ સારો જોવા મળ્યો છે. બીજી તરફ નર્મદાના ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે ડેમમાં પાણીની મોટી આવક જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ડેમની સપાટી સતત વધી રહી છે.
બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા ખેડૂતો માટે વરાપ નીકળી છે અને ખેતીકામ ઝડપે ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
