Tekana bhav registration : ટેકાના ભાવ માટેના રજિસ્ટ્રેશને લઈને પાલ આંબલિયાના આકરા સવાલ
Tekana bhav registration : ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાતના કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને ટેકાના ભાવે પાક વેચવા માટે થતા રજિસ્ટ્રેશન પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પાલ આંબલિયાએ ખાસ કરીને સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણીના મુદ્દા પર ધ્યાન દોર્યું છે.

પાક ઉભો હોય ત્યારે જ સર્વે કરો : આંબલિયાએ માંગ કરી છે કે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સર્વે ખેતરમાં પાક ઉભો હોય તે દરમિયાન જ થવો જોઈએ. તેમણે જણાવ્યું કે પાક લણી લીધા પછી કરવામાં આવતા સર્વેનો કોઈ અર્થ નથી અને તે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરે છે.
રજિસ્ટ્રેશન રદ ન થવા જોઈએ : ભૂતકાળમાં ચણા, રાયડો અને તુવેરના 87,000 રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા. આ જ રીતે મગફળી, સોયાબીન, મગ અને અડદના રજિસ્ટ્રેશન પણ ખોટી રીતે રદ ન થાય તેની ખાતરી કરવા માટે તેમણે રજૂઆત કરી છે.
તલાટીનો દાખલો માન્ય ગણો : પત્રમાં એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે તલાટી દ્વારા આપવામાં આવેલા વાવેતરના દાખલા હોવા છતાં ખેડૂતોના રજિસ્ટ્રેશન શા માટે રદ કરવામાં આવે છે.
તાત્કાલિક ક્રોસ-વેરિફિકેશન : તેમણે સરકારને અપીલ કરી છે કે તલાટીનો વાવેતરનો દાખલો, ખેતરમાં થયેલું વાસ્તવિક વાવેતર અને સેટેલાઇટ ઇમેજનું ક્રોસ ચેક તાત્કાલિક ધોરણે કરવામાં આવે.
પારદર્શિતાની માંગ : આંબલિયાએ જણાવ્યું કે પાક લણી લીધા બાદ થતા તમામ નાટકો સરકારે બંધ કરવા જોઈએ અને આખી પ્રક્રિયા પાક ખેતરમાં ઉભો હોય તે દરમિયાન જ પૂરી કરવી જોઈએ, જેથી ખેડૂતોને કોઈ પરેશાની ન થાય.
આ પત્ર દ્વારા પાલ આંબલિયાએ ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
