Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Akshaya Tritiya 2024: અખાત્રીજના દિવસે બનશે ઘણા યોગ, 4 રાશિઓ પર થશે ધનવર્ષા

Akshaya Tritiya 2024: વૈદિક પંચાગમાં જણાવ્યા અનુસાર દર વર્ષે વેશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિએ અક્ષય તૃતિયા કે અખાત્રીજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 10 મેના રોજ અખાત્રીજ ઉજવવામાં આવશે.

એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલા દરેક કાર્ય સફળ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, 10 મેના રોજ અખાત્રીજના દિવસને અતિ ખાસ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયા પર બનશે આ શુભ યોગો - જ્યોતિષીય ગણતરી મુજબ આ દિવસે ગજકેસરી યોગ બનશે. આ સિવાય મંગળ અને બુધના મિલનને કારણે મીન રાશિમાં પણ ધન યોગ બને છે. આ સિવાય 10 મેએ રવિ યોગ પણ રહેશે.

આ તમામ યોગોની સાથે અક્ષય તૃતીયાની પણ ઉજવણી કરવામાં આવશે. આ યોગો એકસાથે 4 રાશિના લોકોને ઘણી સફળતા અને આર્થિક લાભ લાવશે.

વૃષભ રાશિ પર ગજકેસરી યોગની અસર - વૃષભ રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિના લોકોને ઈચ્છિત સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

આ સમયગાળા દરમિયાન જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, તેમને મોટો ફાયદો થઈ શકે છે. રોકાણ કરવા માટે સમય સારો રહેશે, તમને પછીથી સારા પરિણામ મળી શકે છે.

Akshaya Tritiya 2024

મિથુન રાશિ પર ગજકેસરી યોગની અસર - મિથુન રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો તહેવાર સારા સમાચાર લઈને આવશે. આ સમયે તમારા બેંક બેલેન્સની સ્થિતિ સારી રહેશે. જો કોર્ટ સંબંધિત કોઈ બાબત હોય તો તે સમાપ્ત થઈ શકે છે.

આ સમયગાળા દરમિયાન નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે, જેના કારણે પગારમાં પણ વધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે.

તુલા રાશિ પર ગજકેસરી યોગની અસર - તુલા રાશિના જાતકો માટે 10 મેનો દિવસ ખૂબ જ શુભ રહેશે. જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન સમાજમાં માન-સન્માન વધશે.

નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર પ્રમોશન મળશે અને તમારો પગાર પણ વધી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે.

ધન રાશિ પર ગજકેસરી યોગની અસર - ધન રાશિના વ્યાપારીઓ માટે અક્ષય તૃતીયા ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયે રોકાણ કરવાથી સારો નફો મળી શકે છે. સંપત્તિ મળવાના આશીર્વાદ મળશે.

તમે કોઈપણ મિલકત અથવા વાહનના માલિક બની શકો છો. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. વિવાહિત લોકોને તેમના જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, અને અપરિણીત લોકો માટે સંબંધની સારી વાતો આવી શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X