Adhik Maas Amas 2023: અધિક માસમાં આ ઉપાયો કરવાથી જરુર પ્રસન્ન થાય છે પૂર્વજો
Adhik Maas Amas 2023: હિંદુ ધર્મમાં પિતૃઓ કે પૂર્વજોનું મહત્વ દેવી-દેવતાઓથી ઓછું નથી. જો પૂર્વજ પ્રસન્ન હોય તો સુખ-સમૃદ્ધિમાં કમી નથી આવતી.
બીજી તરફ જો વડવાઓ કોઈ કારણસર દુઃખી કે અપ્રસન્ન હોય તો સંતાનોના જીવનમાં માત્ર દુઃખ જ આવે છે, મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી, અડચણો આવતી જ રહે છે. એટલા માટે પિતૃઓને ખુશ રાખવા ખૂબ જ જરૂરી છે.

પૂર્વજોને પ્રસન્ન કરવાનો મહત્વનો સમય અધિકમાસની અમાસનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના બાળકોની સ્થિતિ જાણે છે. આ સ્થિતિમાં, આ મોકો હોય છે જ્યારે આપણે આપણા પૂર્વજોને ખુશ કરી શકીએ. આવો જાણીએ કે અધિક માસની અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ.
પિતૃઓ કે વડવાઓને પ્રસન્ન કરવા માટે તેમને અર્પણ કરવું જરૂરી છે. અધિકમાસ અથવા પુરુષોત્તમ માસમાં કરવામાં આવતા તર્પણ અથવા શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ અને પ્રસન્ન થાય છે. જો પૂર્વજો ખુશ હોય તો સમજી લેવું કે પરિવારમાં સુખ-સમૃદ્ધિની કમી નહીં આવે. સૌથી પહેલા અમે તમને જણાવીએ કે અધિકમાસની અમાસનો દિવસ ક્યારે છે અને પૂજાનો શુભ સમય કયો છે.
16 ઓગસ્ટ, 2023ના રોજ અધિકમાસની અમાસ છે. આ અમાસ પછી કૃષ્ણ પક્ષ સમાપ્ત થશે અને શુક્લ પક્ષ શરૂ થશે. હિંદુ કેલેન્ડર અનુસાર, અમાસ 15 ઓગસ્ટની મધ્યરાત્રિ 12.42 વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટે બપોરે 3.07 વાગ્યા સુધી ચાલશે.
આ દરમિયાન દાન સ્નાન કરવાનો સમય સવારે 4.20થી 5.20 સુધીનો છે. પંચાંગ અનુસાર, અધિકમાસ અમાસ તિથિ 15 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 12.42 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 16 ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 03.07 કલાકે સમાપ્ત થશે.
અધિકમાસમાં કરવામાં આવેલ ધાર્મિક કાર્ય કોઈપણ રીતે અનેકગણું વધુ પરિણામ આપે છે, તેથી પિતૃઓને અમાસના દિવસે કરવામાં આવેલા તર્પણ અને શ્રાદ્ધથી સંતોષ મળે છે અને તેઓ પ્રસન્ન થાય છે. અધિકમાસ શ્રી હરિ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે તેથી આ દિવસે નદીઓમાં સ્નાન કરીને દાન કરવાથી ભક્તને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. આ દિવસે પીપળની પૂજા કરવાથી પણ પૂર્વજો ખૂબ પ્રસન્ન થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દિવસે જો કોઈ ગરીબ વ્યક્તિ ભોજન માંગે તો તેને ના પાડવી.












Click it and Unblock the Notifications
