Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bakrid 2022: બકરી ઈદ પર કેમ આપવામાં આવે છે નર બકરાની કુરબાની, આ છે આનો ઈતિહાસ

આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અહીં અમે તમને બલિદાનના આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ.

નવી દિલ્લીઃ મુસ્લિમ ધર્મમાં બકરી ઈદના તહેવારનુ ઘણુ મહત્વ છે. આ તહેવારને ઈદ-ઉલ-અઝહા અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. પવિત્ર રમઝાન મહિનાના 70 દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવે છે. જો કે બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અહીં અમે તમને બલિદાનના આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ. તો ચાલો જાણીએ કે બકરી ઈદનો ઈતિહાસ શું છે અને આ ખાસ દિવસ કેવી રીતે ઉજવાય છે.

કેવી રીતે મનાવાય છે બકરી ઈદ

કેવી રીતે મનાવાય છે બકરી ઈદ

આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં જમાત સાથે નમાઝ અદા કરે છે. તહેવારની શરૂઆત સવારે નમાઝ અદાથી થાય છે. લોકો તેમના મિત્રો અને સંબંધીઓના ઘરે પણ જાય છે અને એકબીજાને અભિનંદન આપે છે. આ સિવાય આ દિવસે ઘરે એકથી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.

આ રીતે થઈ કુરબાની આપવાની શરુઆત

આ રીતે થઈ કુરબાની આપવાની શરુઆત

કહેવાય છે કે પયગંબર હઝરત ઇબ્રાહિમ એ સૌપ્રથમ બલિદાન આપવાનુ શરૂ કર્યુ હતુ. કહેવાય છે કે એકવાર અલ્લાહે તેમને પોતાની પ્રિય વસ્તુનુ બલિદાન આપવા કહ્યુ હતુ. ત્યારે પયગંબર હઝરત ઈબ્રાહિમે પોતાના પુત્રની કુરબાની આપવાનુ નક્કી કર્યુ કારણ કે તેમનો પુત્ર તેમને સૌથી પ્રિય હતો. પયગમ્બરના આ નિર્ણયથી અલ્લાહ ખૂબ જ ખુશ થયા. જ્યારે તે તેમના 10 વર્ષના પુત્રની કુરબાની આપવા જઈ રહ્યા હતા ત્યારે અલ્લાહે તેમના પુત્રને બદલે એક બકરો મોકલ્યો. ત્યારથી બકરી ઈદના દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે નર બકરા ઉપરાંત ઊંટ અને ઘેટાની પણ બલિ ચઢાવવામાં આવે છે.

ત્રણ ભાગમાં વહેંચાય છે માંસ

ત્રણ ભાગમાં વહેંચાય છે માંસ

બલિદાન પછી માંસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગ સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને આપવામાં આવે છે, જ્યારે બીજો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને વહેંચવામાં આવે છે. ત્રીજો અને છેલ્લો ભાગ પરિવાર માટે રાખવામાં આવે છે.

કુરબાનીના નિયમ

કુરબાનીના નિયમ

બકરી ઈદ પર યજ્ઞ કરવા માટે પણ કેટલાક નિયમોનુ પાલન કરવુ પડે છે. આ દિવસે માત્ર સ્વસ્થ પ્રાણીઓની જ બલિ ચઢાવવામાં આવે છે. આ સિવાય બલિદાનનુ ધન ઈમાનદારીથી મેળવેલુ હોવુ જોઈએ. ખોટા માધ્યમથી મેળવેલા પૈસાનુ બલિદાન આપવામાં આવતુ નથી.

બકરી ઈદનુ મહત્વ

બકરી ઈદનુ મહત્વ

બલિદાનનો આ તહેવાર લોકોને સાચા અને ઉમદા માર્ગ પર ચાલવાનુ શીખવે છે. એવુ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે સાચા દિલથી કોઈપણ જરૂરિયાતમંદની મદદ કરે છે, અલ્લાહ તેને સ્વર્ગમાં સ્થાન આપે છે. આ સિવાય વ્યક્તિએ પોતાનુ કર્તવ્ય ન ભૂલવુ જોઈએ અને તેણે પોતાના પરિવારની સાથે પોતાના દેશની રક્ષા પણ કરવી જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X