Bakrid 2022: બકરી ઈદ પર કેમ આપવામાં આવે છે નર બકરાની કુરબાની, આ છે આનો ઈતિહાસ
આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અહીં અમે તમને બલિદાનના આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ.
નવી દિલ્લીઃ મુસ્લિમ ધર્મમાં બકરી ઈદના તહેવારનુ ઘણુ મહત્વ છે. આ તહેવારને ઈદ-ઉલ-અઝહા અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. પવિત્ર રમઝાન મહિનાના 70 દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવે છે. જો કે બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે બકરીદ 10 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. અહીં અમે તમને બલિદાનના આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશુ. તો ચાલો જાણીએ કે બકરી ઈદનો ઈતિહાસ શું છે અને આ ખાસ દિવસ કેવી રીતે ઉજવાય છે.

કેવી રીતે મનાવાય છે બકરી ઈદ
આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં જમાત સાથે નમાઝ અદા કરે છે. તહેવારની શરૂઆત સવારે નમાઝ અદાથી થાય છે. લોકો તેમના મિત્રો અને સંબંધીઓના ઘરે પણ જાય છે અને એકબીજાને અભિનંદન આપે છે. આ સિવાય આ દિવસે ઘરે એકથી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.

આ રીતે થઈ કુરબાની આપવાની શરુઆત
કહેવાય છે કે પયગંબર હઝરત ઇબ્રાહિમ એ સૌપ્રથમ બલિદાન આપવાનુ શરૂ કર્યુ હતુ. કહેવાય છે કે એકવાર અલ્લાહે તેમને પોતાની પ્રિય વસ્તુનુ બલિદાન આપવા કહ્યુ હતુ. ત્યારે પયગંબર હઝરત ઈબ્રાહિમે પોતાના પુત્રની કુરબાની આપવાનુ નક્કી કર્યુ કારણ કે તેમનો પુત્ર તેમને સૌથી પ્રિય હતો. પયગમ્બરના આ નિર્ણયથી અલ્લાહ ખૂબ જ ખુશ થયા. જ્યારે તે તેમના 10 વર્ષના પુત્રની કુરબાની આપવા જઈ રહ્યા હતા ત્યારે અલ્લાહે તેમના પુત્રને બદલે એક બકરો મોકલ્યો. ત્યારથી બકરી ઈદના દિવસે બકરાની બલિ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે નર બકરા ઉપરાંત ઊંટ અને ઘેટાની પણ બલિ ચઢાવવામાં આવે છે.

ત્રણ ભાગમાં વહેંચાય છે માંસ
બલિદાન પછી માંસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગ સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને આપવામાં આવે છે, જ્યારે બીજો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદોને વહેંચવામાં આવે છે. ત્રીજો અને છેલ્લો ભાગ પરિવાર માટે રાખવામાં આવે છે.

કુરબાનીના નિયમ
બકરી ઈદ પર યજ્ઞ કરવા માટે પણ કેટલાક નિયમોનુ પાલન કરવુ પડે છે. આ દિવસે માત્ર સ્વસ્થ પ્રાણીઓની જ બલિ ચઢાવવામાં આવે છે. આ સિવાય બલિદાનનુ ધન ઈમાનદારીથી મેળવેલુ હોવુ જોઈએ. ખોટા માધ્યમથી મેળવેલા પૈસાનુ બલિદાન આપવામાં આવતુ નથી.

બકરી ઈદનુ મહત્વ
બલિદાનનો આ તહેવાર લોકોને સાચા અને ઉમદા માર્ગ પર ચાલવાનુ શીખવે છે. એવુ માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે સાચા દિલથી કોઈપણ જરૂરિયાતમંદની મદદ કરે છે, અલ્લાહ તેને સ્વર્ગમાં સ્થાન આપે છે. આ સિવાય વ્યક્તિએ પોતાનુ કર્તવ્ય ન ભૂલવુ જોઈએ અને તેણે પોતાના પરિવારની સાથે પોતાના દેશની રક્ષા પણ કરવી જોઈએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
