Basant Panchami 2022: વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ, બનશે આ વિશેષ સંયોગ
આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, 2022એ ત્રણ વિશેષ યોગોની ત્રિવેણીમાં મનાવવામાં આવશે. જાણો વિગત.
નવી દિલ્લીઃ મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ હિંદુ પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વસંત પંચમી મનાવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીનુ પૂજન કરવામાં આવે છે. બાળકોનો વિદ્યારંભ પણ આ દિવસે કરાવવામાં આવે છે. આ દિવસે સ્વયંસિદ્ધ એટલે કે વણજોયુ મુહૂર્ત હોય છે માટે કોઈ મુહૂર્ત વિના લગ્ન સંપન્ન કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, 2022એ ત્રણ વિશેષ યોગોની ત્રિવેણીમાં મનાવવામાં આવશે. વસંત પંચમીના દિવસે સિદ્ધ, સાધ્ય અને રવિયોગનો સંગમ થશે.

ઉજ્જૈની પંચાંગ અનુસાર પંચમી તિથિ 5 ફેબ્રુઆરીએ સૂર્યોદય પહેલા સવારે 3.47 વાગ્યાથી 6 ફેબ્રુઆરીએ સૂર્યોદય પૂર્વ સવારે 3.46 વાગ્યા સુધી રહેશે. વળી, સિદ્ધ યોગ 4 ફેબ્રુઆરીએ સાંજે 7.08 વાગ્યાથી 5 ફેબ્રુઆરી સાંજે 5.40 વાગ્યા સુધી રહેશે. વળી, સાધ્ય યોગ 5.40 વાગ્યાથી આગલા દિવસે 6 ફેબ્રુઆરીએ સાંજે 4.52 વાગ્યા સુધી રહેશે. આ દિવસે રવિ યોગ સાંજે 4.09 વાગ્યાથી આરંભ થશે. અર્થાત સૂર્યાસ્ત પૂર્વ ત્રણ યોગોની ત્રિવેણી બનશે જે આ દિવસને વિશેષ મહત્વ પ્રદાન કરી રહી છે.
માંગલિક કાર્યો થાય છે
વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની જરુર નથી રહેતી. આ દિવસે મોટી સંખ્યામાં લગ્ન સંપન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત મુંડન, યજ્ઞોપવીત, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી જેવા શુભ કાર્યો પણ કરવામાં આવે છે. બાળકોના વિદ્યારંભ સંસ્કાર માટે આ સર્વથા ઉપયુક્ત દિવસ હોય છે. આ દિવસે મા સરસ્વતીનુ પૂજન કરવામાં આવે છે. સંગીતનુ શિક્ષણ લઈ રહેલ વિદ્યાર્થી પણ આ દિવસે સરસ્વતી માતાની વિશેષ પૂજા કરે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
