Diwali 2020: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળી પર શું કરવુ અને શું ન કરવુ
લોકો મા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ઘણા બધા નુસખા અપનાવે છે. હાલમાં દિવાળીના દિવસે તમારે અમુક વિશેષ વાતોનુ ધ્યાન રાખવાની જરૂર છે.
Diwali 2020: દિવાળીનો તહેવાર ખુશીઓનો તહેવાર છે. શું તમે જાણો છો કે દિવાળીનો અર્થ શું થાય છે. વાસ્તવમાં દિવાળી સંસ્કૃતના બે શબ્દોથી મળીને બનેલો છે અને તે બે શબ્દો છે 'દીપ' અર્થાત 'દીપક' એટલે કે લાઈન અથવા શ્રૃંખલા જેનો અર્થ થાય છે દીવાની શ્રૃંખલા, દીવાને સ્કંધ પુરાણમાં સૂર્યના હિસ્સાનુ પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવ્યુ છે. જૈન ધર્મના લોકો આને મહાવીરના 'મોક્ષ દિવસ' તરીકે મનાવે છે તથા શીખ સમાજ આને 'બંદી છોડ દિવસ' તરીકે મનાવે છે. ઘણા લોકો દિવાળીને 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ, મા સીતા અને તેમના ભાઈ લક્ષ્મણની વાપસીના સમ્માન રૂપે મનાવે છે. દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પૂજન કરવામાં આવે છે. આ દિવસે લોકો મા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ઘણા બધા નુસખા અપનાવે છે. હાલમાં દિવાળીના દિવસે તમારે અમુક વિશેષ વાતોનુ ધ્યાન રાખવાની જરૂર છે.

શું કરવુ
- દિવાળીના દિવસે સવાર સવારમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
- જો સંભવ હોય તો વ્રત રાખવુ અને ક્ષમતા અનુસાર મા લક્ષ્મી અને ભગવાન ગણેશ માટે ભોગ-પ્રસાદ તૈયાર કરવો.
- મા લક્ષ્મીને ખીર પસંદ છે. વળી, ગણેશજીને લાડુનો ભોગ પણ ધરાવાય છે.
- પ્રેમ અને શ્રદ્ધા સાથે પૂજન કરવુ. ગરીબોને દાન કરવુ. વડીલોના આશીર્વાદ લેવા.
- મા લક્ષ્મીને સાવરણી પણ ચડાવવી.
- આમ પણ આ વખતે દિવાળી શનિવારે છે માટે શનિવારે સાવરણી ખરીદવાથી મા લક્ષ્મી સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય થશે.
- કિન્નરોને ઉપહાર સાથે અમુક દક્ષિણા અવશ્ય આપવી.
- ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂરથી શુભ-લાભ, શ્રી, સ્વસ્તિક અને ઓમનુ શુભ ચિહ્ન બનાવવુ.
- સાદગીપૂર્ણ રીતે દિવાળીનો તહેવાર મનાવવો.

શું ન કરવુ
પ્રદોષ કાળમાં કચરો ન વાળવો.
નશો ન કરવો. જુગાર ન રમવો.
ગુસ્સો ન કરવો.
રડવુ નહિ.
ઝઘડો ન કરવો.
મોડે સુધી ન સૂવુ.
સહવાસ ન કરવો.
કાળા કપડા પહેરીને પૂજા ન કરવી.

આ વસ્તુ ન કરવી
- તૂટેલા-ફૂટેલા ફર્નીચરને ઘરમાંથી બહાર કરવુ.
- તૂટેલા કાચ.
- તૂટેલી ફ્રેમ.
- બંધ પડેલી ઘડિયાણોને પણ ઘરમાંથી કાઢો.
- જૂના દીવા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
