Diwali 2022: ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજની સાચી તિથિ અને મુહૂર્ત
દિવાળીના પાંચે દિવસનુ અલગ-અલગ મહત્વ છે જે સહુ કોઈએ જાણવુ જરુરી છે. આવો વિસ્તારથી જાણીએ આ પાંચે દિવસ વિશે.
Diwali 2022: દિવાળીનો તહેવાર પાંચ દિવસ મનાવવામાં આવે છે. જેની શરુઆત ધનતેરસથી થાય છે ત્યારબાદ કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને છેલ્લે ભાઈબીજ આવે છે. પાંચ દિવસ સુધી લોકો ઉત્સાહપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવે છે. ઘરને સજાવે છે. આ દિવસોમાં ગણેશ પૂજન, મા લક્ષ્મીની પૂજા, મહાકાળીની પૂજા અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ પાંચે દિવસનુ અલગ-અલગ મહત્વ છે જે સહુ કોઈએ જાણવુ જરુરી છે. આવો વિસ્તારથી જાણીએ આ પાંચે દિવસ વિશે.

ધનતેરસ
ધનતેરસ એ દિવાળીનો પહેલો દિવસ છે. જે ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ છે અને તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ 22 ઓક્ટોબરે છે અને આ દિવસે પૂજા કરવાનો સમય સાંજે 7 થી 8.17 સુધીનો છે. લોકો આ દિવસે ખૂબ સામાન ખરીદે છે, એવુ માનવામાં આવે છે કે આ દિવસે જે ખરીદી કરેલ વસ્તુનુ આયુષ્ય લાંબુ હોય છે અને આમ કરવુ શુભ હોય છે. તેનાથી ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે.

કાળી ચૌદશ
ધનતેરસના બીજા દિવસે કાળી ચૌદશ અથવા નાની દિવાળી આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે મા કાલી સહિત 6 દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 24 ઓક્ટોબરે છે. કાળી ચૌદશના દિવસે યમની પ્રસન્નતા માટે સાંજે દીવો પણ દાન કરવામાં આવે છે. કાળી ચૌદશ 24 ઓક્ટોબરના રોજ સવારે 05:05 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6:27 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ દિવસે જ નાની દિવાળી ઉજવવામાં આવશે.

દિવાળી
દિવાળીનો પવિત્ર તહેવાર 24 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે કારણ કે આ દિવસે જ સાંજે 6:27 વાગ્યાથી અમાસ તિથિ થશે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામ, પત્ની સીતા અને અનુજ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા. આ દિવસે અમાસ હોવાથી લોકોએ પોતાના ઘરોને દીવાઓથી શણગાર્યા હતા.એટલા માટે આ દિવસે લોકો પોતાના ઘરને દીવાઓથી શણગારે છે. ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, આ દિવસે લક્ષ્મી પૂજનનુ મુહૂર્ત 24 ઓક્ટોબરે સાંજે 6:53 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 8:15 સુધી ચાલશે.

ગોવર્ધન પૂજા
મંગળવાર, 25 ઓક્ટોબર, 2022 ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થઈ રહ્યુ છે. જે સાંજે 4:41 કલાકે શરૂ થશે અને સાંજે 6.29 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે નહિ પરંતુ બીજા દિવસે એટલે કે 26 ઓક્ટોબરે થશે. આ પૂજાનો શુભ સમય 26 ઓક્ટોબરના રોજ સવારે 06:36 થી 08:55 સુધીનો છે.

ભાઈબીજ
જો દ્વિતિયા તિથિ 26 ઓક્ટોબરે જ બપોરે 02.42 વાગ્યાથી શરુ થઈ જશે માટે આ દિવસે ભાઈબીજની ઉજવણી કરી શકાય છે પરંતુ જે લોકો ઉદયતિથિમાં માનતા હોય તેઓ 27 ઓક્ટોબરે મનાવશે. દ્વિતિયા તિથિ 27 ઓક્ટોબરે બપોરે 12 વાગીને 45 મિનિટ સુધી રહેશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
