Diwali 2021: પાંચ દિવસના દીપોત્સવનો પ્રારંભ 2 નવેમ્બરથી, જાણો વિસ્તારથી
કારતક મહિનો તહેવારો અને વ્રતનો મહિનો હોય છે. જેનો પ્રારંભ 2 નવેમ્બર, 2021ના રોજ મંગળવારથી થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ કારતક મહિનો તહેવારો અને વ્રતનો મહિનો હોય છે. આમાં ધન ત્રયોદશીથી યમ દ્વિતીયા સુધી પાંચ દિવસનો દીપોત્સવ મનાવવામાં આવે છે જેનો પ્રારંભ 2 નવેમ્બર, 2021ના રોજ મંગળવારથી થઈ રહ્યો છે. પહેલા દિવસે 2 નવેમ્બરે ધન ત્રયોદશી, આ દિવસે સંધ્યાકાળમાં યમ માટે દીપદાન હશે, 3 નવેમ્બરે નરકહરા કે રૂપ ચતુર્દશી મનાવવામાં આવશે. ચતુર્દશી તિથિ 2 અને 3 નવેમ્બરે કોઈ પણ સૂર્યોદયની નથી સ્પર્થી રહી માટે ચતુર્દશીનો ક્ષય માનવામાં આવશે. આના કારણે ચતુર્દશીએ કરાતુ અભ્યંગ સ્નાન 4 નવેમ્બરે દીવાળીએ પ્રાતઃકાળમાં કરવામાં આવશે. 4 નવેમ્બરે સંધ્યાકાળે ધનલક્ષ્મી, કુબેર વગેરેનુ પૂજન કરવામાં આવશે. 5 નવેમ્બરે ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ મનાવવામાં આવશે અને 6 નવેમ્બરે યમ દ્વિતીયા, ભાઈબીજ મનાવવામાં આવશે. આ રીતે પાંચ દિવસના દીપોત્સવનુ સમાપન 6 નવેમ્બરે થશે.

ધનતેરસ પર યોગ
2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ પર ભગવાન ધનવંતરિ સાથે લક્ષ્મી-કુબેરનુ પૂજન થશે. આ દિવસે ત્રયોદશી તિથિ પ્રાતઃ 11.32 વાગે પ્રારંભ થશે. હસ્ત નક્ષત્ર 11.43 વાગ્યાથી પ્રારંભ થશે. વૈધુતિ યોગ અને તૈતિલ કરણ સાથે મંગળવારો યોગ હોવાથી આ દિવસે સ્થાયી સંપત્તિ વધારવાનો છે. આ વખતે ચતુર્દી તિથિનો ક્ષય થઈ રહ્યો છે માટે યમ નિમિત્તે ચતુર્દશીએ કરાતુ દીપદાન પણ આ રાત્રિએ થશે.

નરક ચતુર્દશી પર યોગ
આ વખતે ચતુર્દી તિથિનો ક્ષય થઈ ગયો છે. ચતુર્દશી તિથિ 3 નવેમ્બરના રોજ સૂર્યોદય બાદ પ્રાતઃ 9.03 વાગ્યાથી પ્રારંભ થઈને બીજા દિવે સૂર્યોદય પૂર્વ 5.04 વાગે જ સમાપ્ત થઈ જશે. ચતુર્દશી તિથિ કોઈ પણ દિવસના સૂર્યોદયને સ્પર્શ નથી કરી રહી માટે તેનો ક્ષય થઈ ગયો છે. તેમ છતાં 3 નવેમ્બરે આખો દિવસ ચતુર્દશી તિથિ રહેશે માટે નરક ચતુર્દશી નિમિત્તે કરાતા પૂજન-કર્મ વગેરે 3 નવેમ્બરે જ કરવામાં આવશે. જો કે આ દિવસે પ્રાતઃ 9.03 વાગ્યાથી સાંજે 7.33 વાગ્યા સુધી ભદ્રા રહેશે.

લક્ષ્મી પૂજન
4 નવેમ્બરે ગુરુવારે દીપોત્સવનો સૌથી મહત્વપૂર્ણ દિવસ દીવાળી મનાવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી પૂજન થશે. 4 નવેમ્બરે સંધ્યાકાળે પ્રદોષકાળ અથવા અન્ય શુભ મૂહુર્તમાં ગણેશ લક્ષ્મી, કુબેર, મહાકાળી, મહાસરસ્વતીનુ પૂજન થશે. આ દિવસે પ્રદોષ કાળ સંધ્યા કાળે 5.43થી 8.18 વાગ્યા સુધી રહેશે. આ સમયે લક્ષ્મી પૂજન સર્વશ્રેષ્ઠ રહેશે. આ દિવસે ચિત્રા-સ્વાતિ નક્ષત્ર અને પ્રીતિ યોગમાં પૂજન કરવુ અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવશે.

ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ
ગિરિરાજ અને ગો-ધનના પૂજનનુ પર્વ 5 નવેમ્બર શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણએ પ્રારંભ કરાવી હતી. આ દિવસે ગાયોને ધન માનીને તેમને સજાવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ગ્રામીણ ઘરોમાં આ દિવસે પ્રતીકાત્મક રૂપે ગોબરથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરવામાં આવે છે અને તેની પરિક્રમા કરવામાં આવે છે. આ દિવસે અન્નકૂટ મહોત્સવ પણ મનાવવામાં આવે છે.

ભાઈબીજ, ચંદ્રદર્શન
6 નવેમ્બર શનિવારે ભાઈબીજ, યમ દ્વિતીયા મનાવવામાં આવશે. આ દિવસે વિશ્વકર્માની પૂજા પણ કરવામાં આવશે. પાંચ દિવસીય દીપોત્સવ પર્વનુ સમાપન આ દિવસે થશે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને ભોજન કરાવીને તેમને તિલક કરે છે અને તેમના લાંબા આયુની કામના કરે છે. ભાઈ બહેનોને ઉપહાર આપે છે.












Click it and Unblock the Notifications
