Diwali 2021: પાંચ દિવસના દીપોત્સવનો પ્રારંભ 2 નવેમ્બરથી, જાણો વિસ્તારથી

કારતક મહિનો તહેવારો અને વ્રતનો મહિનો હોય છે. જેનો પ્રારંભ 2 નવેમ્બર, 2021ના રોજ મંગળવારથી થઈ રહ્યો છે.

નવી દિલ્લીઃ કારતક મહિનો તહેવારો અને વ્રતનો મહિનો હોય છે. આમાં ધન ત્રયોદશીથી યમ દ્વિતીયા સુધી પાંચ દિવસનો દીપોત્સવ મનાવવામાં આવે છે જેનો પ્રારંભ 2 નવેમ્બર, 2021ના રોજ મંગળવારથી થઈ રહ્યો છે. પહેલા દિવસે 2 નવેમ્બરે ધન ત્રયોદશી, આ દિવસે સંધ્યાકાળમાં યમ માટે દીપદાન હશે, 3 નવેમ્બરે નરકહરા કે રૂપ ચતુર્દશી મનાવવામાં આવશે. ચતુર્દશી તિથિ 2 અને 3 નવેમ્બરે કોઈ પણ સૂર્યોદયની નથી સ્પર્થી રહી માટે ચતુર્દશીનો ક્ષય માનવામાં આવશે. આના કારણે ચતુર્દશીએ કરાતુ અભ્યંગ સ્નાન 4 નવેમ્બરે દીવાળીએ પ્રાતઃકાળમાં કરવામાં આવશે. 4 નવેમ્બરે સંધ્યાકાળે ધનલક્ષ્મી, કુબેર વગેરેનુ પૂજન કરવામાં આવશે. 5 નવેમ્બરે ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ મનાવવામાં આવશે અને 6 નવેમ્બરે યમ દ્વિતીયા, ભાઈબીજ મનાવવામાં આવશે. આ રીતે પાંચ દિવસના દીપોત્સવનુ સમાપન 6 નવેમ્બરે થશે.

ધનતેરસ પર યોગ

ધનતેરસ પર યોગ

2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ પર ભગવાન ધનવંતરિ સાથે લક્ષ્મી-કુબેરનુ પૂજન થશે. આ દિવસે ત્રયોદશી તિથિ પ્રાતઃ 11.32 વાગે પ્રારંભ થશે. હસ્ત નક્ષત્ર 11.43 વાગ્યાથી પ્રારંભ થશે. વૈધુતિ યોગ અને તૈતિલ કરણ સાથે મંગળવારો યોગ હોવાથી આ દિવસે સ્થાયી સંપત્તિ વધારવાનો છે. આ વખતે ચતુર્દી તિથિનો ક્ષય થઈ રહ્યો છે માટે યમ નિમિત્તે ચતુર્દશીએ કરાતુ દીપદાન પણ આ રાત્રિએ થશે.

નરક ચતુર્દશી પર યોગ

નરક ચતુર્દશી પર યોગ

આ વખતે ચતુર્દી તિથિનો ક્ષય થઈ ગયો છે. ચતુર્દશી તિથિ 3 નવેમ્બરના રોજ સૂર્યોદય બાદ પ્રાતઃ 9.03 વાગ્યાથી પ્રારંભ થઈને બીજા દિવે સૂર્યોદય પૂર્વ 5.04 વાગે જ સમાપ્ત થઈ જશે. ચતુર્દશી તિથિ કોઈ પણ દિવસના સૂર્યોદયને સ્પર્શ નથી કરી રહી માટે તેનો ક્ષય થઈ ગયો છે. તેમ છતાં 3 નવેમ્બરે આખો દિવસ ચતુર્દશી તિથિ રહેશે માટે નરક ચતુર્દશી નિમિત્તે કરાતા પૂજન-કર્મ વગેરે 3 નવેમ્બરે જ કરવામાં આવશે. જો કે આ દિવસે પ્રાતઃ 9.03 વાગ્યાથી સાંજે 7.33 વાગ્યા સુધી ભદ્રા રહેશે.

લક્ષ્મી પૂજન

લક્ષ્મી પૂજન

4 નવેમ્બરે ગુરુવારે દીપોત્સવનો સૌથી મહત્વપૂર્ણ દિવસ દીવાળી મનાવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી પૂજન થશે. 4 નવેમ્બરે સંધ્યાકાળે પ્રદોષકાળ અથવા અન્ય શુભ મૂહુર્તમાં ગણેશ લક્ષ્મી, કુબેર, મહાકાળી, મહાસરસ્વતીનુ પૂજન થશે. આ દિવસે પ્રદોષ કાળ સંધ્યા કાળે 5.43થી 8.18 વાગ્યા સુધી રહેશે. આ સમયે લક્ષ્મી પૂજન સર્વશ્રેષ્ઠ રહેશે. આ દિવસે ચિત્રા-સ્વાતિ નક્ષત્ર અને પ્રીતિ યોગમાં પૂજન કરવુ અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવશે.

ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ

ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ

ગિરિરાજ અને ગો-ધનના પૂજનનુ પર્વ 5 નવેમ્બર શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણએ પ્રારંભ કરાવી હતી. આ દિવસે ગાયોને ધન માનીને તેમને સજાવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. ગ્રામીણ ઘરોમાં આ દિવસે પ્રતીકાત્મક રૂપે ગોબરથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરવામાં આવે છે અને તેની પરિક્રમા કરવામાં આવે છે. આ દિવસે અન્નકૂટ મહોત્સવ પણ મનાવવામાં આવે છે.

ભાઈબીજ, ચંદ્રદર્શન

ભાઈબીજ, ચંદ્રદર્શન

6 નવેમ્બર શનિવારે ભાઈબીજ, યમ દ્વિતીયા મનાવવામાં આવશે. આ દિવસે વિશ્વકર્માની પૂજા પણ કરવામાં આવશે. પાંચ દિવસીય દીપોત્સવ પર્વનુ સમાપન આ દિવસે થશે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને ભોજન કરાવીને તેમને તિલક કરે છે અને તેમના લાંબા આયુની કામના કરે છે. ભાઈ બહેનોને ઉપહાર આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X