Grah Gochar 2022 : એક જ દિવસમાં બે ગ્રહોનું થશે ગોચર, આ રાશિઓને થશે ફાયદો
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં થવાવાળી ઘટનાઓ પર પણ અસર કરે છે. જ્યારે પણ કોઇ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, તો તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પણ પડે છે.
Grah Gochar 2022 : જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં થવાવાળી ઘટનાઓ પર પણ અસર કરે છે. જ્યારે પણ કોઇ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, તો તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પણ પડે છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. 13 નવેમ્બરના રોજ બે મોટા ગ્રહ મંગળ અને બુધ અલગ અલગ રાશિઓમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મંગળ વૃષભમાં અને બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ બે મોટા ગ્રહના અલગ અલગ રાશિમાં ગોચર કરવાને કારણે તમામ રાશિના જીવન પર પ્રભાવ જોવા મળશેસ પરંતું આજે અમે તમને માત્ર રાશિના લોકો પર થતી સારી અસર વિશે જ જણાવી રહ્યા છીએ.
વૃષભ રાશિના જાતકો પર અસર -
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિદેશથી સંબંધિત વેપાર કરતા લોકો માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આ ઉપરાંત જીવનમાં ઘણી નવી તકો આવશે. આ સમય દરમિયાન તમે જે પણ કામમાં હાથ લગાવો છો, તેમાં તમને સફળતા મળશે.
વૃશ્ચિક રાશિના જાતકો પર અસર -
13 નવેમ્બરના રોજ બુધ ગ્રહ આ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રાશિના લોકો માટે મંગળ કુંડળીના છઠ્ઠા ભાવમાં અને બુધ આઠમા અને અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે.
આવી સ્થિતિમાં બુધ ગોચરને કારણે તમને આ રાશિના લોકોને કરિયરમાં સફળતા મળશે. આ સાથે વેપાર માટે પણ આ સમય સાનુકૂળ માનવામાં આવે છે.
આમાંથીકમાણી થવાની પણ શક્યતા છે. ભાગીદારીમાં વેપાર કરતા લોકો માટે આ સમય સાનુકૂળ છે.
ધન રાશિના જાતકો પર અસર -
ધન રાશિના લોકોની ગોચર કુંડળીમાં બુધ સાતમા અને દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમય દરમિયાન લોકો વ્યવસાયમાં સારો નફો કરતા જોવા મળે છે. આ દરમિયાન ધન રાશિના જાતકોને કરિયરમાં પણ સારા પરિણામ મળી શકે છે.
મકર રાશિના જાતકો પર અસર -
જ્યોતિષશાસ્ત્ર માટે આ રાશિના લોકો માટે બુધ ગોચર લાભદાયક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને સારા પરિણામ મળી શકે છે. આ સાથે સાથે સંશોધન સાથે જોડાયેલા લોકો માટે મંગળ ગોચર ફાયદાકારક છે.
કુંભ રાશિના જાતકો પર અસર -
કુંભ રાશિના લોકો માટે 13 નવેમ્બર પછીનો સમય અનુકૂળ છે. આ લોકોની કુંડળીમાં પાંચમા અને આઠમા ઘરનો સ્વામી બુધ છે. તેથી કાર્યક્ષેત્રમાં શુભ પરિણામ મળી શકે છે. આ દરમિયાન ઘરમાં પણ શાંત વાતાવરણ રહેશે.