Guru gochar 2023 : 12 વર્ષ બાદ મેષ રાશિમાં થશે ગુરુ ગોચર, આ 3 રાશિની ખૂલી જશે કિસ્મત
Guru gochar 2023 : ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ 22 એપ્રીલ, 2023 ના રોજ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, આવામાં ગુરુ ગોચરના કારણે લોકોના જીવનમાં કેવા પ્રકારના ફેરફારો આવવાના છે?
Guru gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહના પરિવર્તનનું મહત્વ હોય છે. જેમ કે, શનિ જે પણ રાશિમાં ગોચર કરે એની મુશ્કેલીઓ વધી જાય છે. આ સાથે ગુરુ ગોચરને પણ મહત્વનું માનવામાં આવે છે. ગુરુ અતિ ધીમી ગતિએ ચાલ કરે છે, આ સાથે તેનો પ્રભાવ પણ લાંબા સમય સુધી રહે છે.
આ સાથે ગુરુને સૌથી શુભ માનવામાં આવે છે, જેની દ્રષ્ટી માત્રથી જાતકોને શુભ પરિણામ મળે છે. ગુરુ 22 એપ્રીલ, 2023ના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. જેની અસર તમામ રાશિ પર થશે. જેમાંથી આ ત્રણ રાશિ પર તેનો લાભ સૌથી વધુ મળશે, એ વિશે જાણીશું.
ગુરુનો પ્રભાવ
શનિ અઢી વર્ષમાં રાશિ બદલી નાખે છે, જ્યારે ગુરુ લગભગ 13 મહિનામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.
ગુરુ ધન અને મીનરાશિનો સ્વામી છે. જ્યારે પણ ગુરુ કોઈ પણ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તે રાશિના લોકોના જીવન પર તેની ઊંડી અસર પડે છે.
12 વર્ષપછી ગુરુ મેષ રાશિમાં ગોચર કરશે. ગુરુ 22 એપ્રીલ, 2023ના રોજ મેષ રાશિમાં ગોચર કરશે.
મેષ રાશિ પર ગુરુ ગોચરની અસરમેષ રાશિ પર ગુરુ ગોચરની અસર
મેષ રાશિના પહેલા ઘરમાં ગુરુનું ગોચર થઈ રહ્યું છે. 22 એપ્રીલથી ગુરુ તમારા માટે એક વર્ષ માટે શુભ પરિણામ લઈને આવવા જઈ રહ્યોછે. ગુરુના ગોચરથી તમારી પ્રગતિ થવાની છે.
સમાજમાં તમારું સન્માન વધશે
ગુરુ ગોચરના કારણે સમાજમાં તમારું સન્માન પણ વધશે. વિવાહિત લોકોને આ રાશિ પરિવર્તનથી સારા પરિણામ મળવાના છે. તમે ધર્મ અથવા કામ માટે લાંબી યાત્રા કરી શકો છો. તેનાથી તમને ભવિષ્યમાં પણ ફાયદો થશે.
કર્ક રાશિ પર ગુરુ ગોચરની અસર
દેવગુરુ ગુરુનું ગોચર કાર્ય ગૃહમાં થવાનું છે. તેનાથી તમારા કામ પર સારી અસર પડશે. નોકરીમાં પ્રમોશનની તકો છે.
સન્માન અને આવક વધશે
જ્યાં તમે કામ કરો છો, ત્યાં તમારું સન્માન અને આવક પણ વધશે. આ સિવાય પૈતૃક સંપત્તિમાં પણ વધારો થવાની આશા છે.
મીન રાશિ પર ગુરુ ગોચરની અસર
મીન રાશિના લોકોએ પણ સાવધાન રહેવું જોઈએ. કારણ કે, હવે ગુરુનું ગોચર બીજા ઘરમાં થવા જઈ રહ્યું છે. ગુરુ તેની પોતાની રાશિથી મેષ રાશિમાં જવાનો છે, જે તમારા માટે સારા પરિણામો લાવશે.
તમને ચારે બાજુ સફળતા મળવાની છે
આવી સ્થિતિમાં ગુરુની હાજરીને કારણે, તમને પૈસા કમાવવાની તકો મળવાની છે. તમે વ્યવસાયમાં સફળ થશો અને તમને ચારે બાજુ સફળતા મળવાની છે.