તમારી જમવાની રીત પરથી ખબર પડે છે કે તમે જીવનમાં કેટલા સફળ થશો
જમવાની રીત પરથી વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણવા માટેની પદ્ધતિઓ જણાવવામાં આવી છે.
નવી દિલ્લીઃ જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિની રાશિ પ્રમાણે અને હસ્તરેખાશાસ્ત્રમાં હાથની રેખાઓ વ્યક્તિત્વ અને ભવિષ્ય જણાવવામાં આવે છે. એ જ રીતે જ્યોતિષની એક શાખા ફૂડ એસ્ટ્રોલૉજી છે જેમાં જમવાની રીત પરથી વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણવા માટેની પદ્ધતિઓ જણાવવામાં આવી છે. જમવાની વસ્તુઓ પસંદ કરવાની રીત પણ વ્યક્તિ વિશે ઘણી બાબતો જણાવે છે.
નવી નવી ફૂડ આઈટમ્સ ટ્રાય કરતા લોકો
જે લોકો હંમેશા ખાવા માટે નવી વસ્તુઓ શોધતા હોય છે અને તેનો આનંદ માણતા હોય છે. આવા લોકો ખૂબ જ જીવંત અને ખુશખુશાલ હોય છે. આ લોકો જ્યાં જાય ત્યાં છવાઈ જાય છે. આ લોકો ખૂબ ખર્ચાળ પણ હોય છે. આવા લોકોના મિત્રોની સંખ્યા મોટી રહે છે.
ધીમે ધીમે જમતા લોકો
કેટલાક લોકો ધીમે ધીમે અને ખૂબ જ આરામથી ખાય છે. આવા લોકો થોડા અંતર્મુખી હોય છે અને ઓછા મિત્રો બનાવે છે. પરંતુ જેની સાથે તે સંબંધ બનાવે છે તેને ખૂબ જ ઇમાનદારીથી નિભાવે છે. આ લોકો જીવનમાં ભાગ્યે જ ભૂલો કરે છે અને સમજી વિચારીને કામ કરવાનુ પસંદ કરે છે. તેમને તેમના જીવનમાં કોઈની જાસૂસી કે પ્રતિબંધ પસંદ નથી.
જલ્દી-જલ્દી જમતા લોકો
જેઓ ઝડપથી જમતા હોય તેઓ ટાઈમ મેનેજમેન્ટમાં પાક્કા હોય છે. આ લોકો ખૂબ જ સક્રિય હોય છે અને દરેક કામમાં આગળ રહે છે. ફાસ્ટ ફૂડની જેમ તેઓ તેમનુ કામ પણ ઝડપથી કરે છે. તેઓ તેમની કારકિર્દીમાં પ્રગતિ કરે છે અને તેમનુ અંગત જીવન પણ ખુશહાલ રહે છે.
સ્વીટ લવર્સ
જેમને મીઠાઈ ખાવાનો શોખ હોય છે તેઓ ખૂબ જ દયાળુ હોય છે. આ લોકો કોઈને દુઃખમાં જોઈ શકતા નથી. સાથે જ તે પોતે પણ હંમેશા ખુશ રહેવાનુ પસંદ કરે છે અને પોતાના નજીકના લોકોને પણ ખુશ રાખે છે. સામાન્ય રીતે આવા લોકોને પોતના દમ પર મોટી સફળતા મળે છે.
જમવામાં ઘણી બધી વસ્તુઓ લેતા લોકો
કેટલાક લોકો ખૂબ જ સાદો ખોરાક અને થોડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક લોકોને એકસાથે ઘણી બધી વાનગીઓ ખાવાની આદત હોય છે. આવા લોકો જીવનને વ્યવસ્થિત અને વૈભવી રીતે જીવવાનુ પસંદ કરે છે. આવા લોકો મહેનતુ હોય છે અને પોતાના સપનાને અનુસરે છે. તેમને જીવનમાં ઘણી સફળતા અને દરેક ખુશીઓ મળે છે.