વસંત પંચમીએ પીળા રંગના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે?
વસંત પંચમીએ શા માટે પીળા વસ્ત્રો પહેરી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે?આ દિવસે સરસ્વતી માતાની પૂજાથી શું લાભ થાય છે?આ અંગે વધુ વાંચો અહીં...
22 જાન્યુઆરીએ વસંત પંચમી છે અને આ દિવસે કળા અને સંગીતની દેવી માતા સરસ્વતીનું પૂજન થાય છે. કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિને માતા સરસ્વતીના આશીષ નથી મળતા, ત્યારે તે પ્રગતિના પંથે આગળ વધી શકતો નથી. આ દિવસે લોકો પોતાના ઘરમાં માતાની પ્રતિમાની પૂજા કરે છે, અનેક જગ્યાઓએ પૂજા સમિતિઓ અને શાળાઓમાં પણ સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા સમયે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે અને માતાને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવી માતાની સ્તુતિ કરે છે.

કેમ પહેરાય છે પીળા વસ્ત્રો?
વસંતનો રંગ પીળો હોય છે, તેને જોઈ લોકોને ખુશી અનુભવાય છે. પીળો રંગ સમૃદ્ધિ, ઉર્જા, પ્રકાશ અને આશાવાદનું પ્રતિક છે, જેથી વસંત પંચમીનું સ્વાગત કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરી તેની ઉજવણી કરવામાં આવે છે.

પીળી વસ્તુનો ભોગ
આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરતી વખતે માત્ર પીળા રંગના વસ્ત્રો નહીં, પીળા રંગની વસ્તુઓનો ભોગ ચડાવવાનું પણ આગવું મહત્વ છે. માતા સરસ્વતીની સ્તુતિ કરતી વખતે તેમને પીળી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે, જેમાં મીઠા ચોખા, પીળા લાડુ, કેસરિયા પેંડાનો સમાવેશ થાય છે.

કેમ થાય છે સરસ્વતીની પૂજા?
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણે સરસ્વતીથી ખુશ થઈ તેમને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી આરાધના કરવામાં આવે છે. આ કારણથી હિંદુ ધર્મમાં વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા થાય છે.

તમારુ બાળક ભણવામાં નબળુ છે તો...
જો તમારુ બાળક ભણવામાં નબળુ હોય તો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરો અને ત્યારબાદ એક પીળા રંગનો દોરો બાળકના હાથમાં બાંધો, બાળકની ભણવામાં રૂચી વધી જશે.

મન શાંત થાય છે
મા સરસ્વતીની પૂજા કરવાથી મન શાંત થાય છે અને વાણીમાં ગજબનું આકર્ષણ વધે છે. આ દિવસે ખાસ વિદ્યાર્થીઓની સાથે વક્તાઓ, કલાકારો, નૃત્યાંગનાઓ, ગાયકો અને શિક્ષકોએ પણ ખાસ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. તેનાથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
