Janmashtami 2023: ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે આ પાંચ ભોગ, મળશે અઢળક આશીર્વાદ
Janmashtami 2023 Bhog: લોકોના પ્રિય ભગવાન કૃષ્ણની બાળ લીલાઓમાં તેમના ખાનપાનનુ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેમને દૂધ, દહીં, માખણ, ફળો, ખીર, લાડુ વગેરે ખૂબ જ પસંદ હતા. પુરાણોમાં વર્ણન છે કે શ્રી કૃષ્ણને ભોજનના એટલા શોખીન હતા કે તેમની માતા યશોદા તેમને દિવસમાં આઠ વખત અલગ-અલગ વાનગીઓ બનાવીને ખવડાવતા હતા.
જ્યારે તેઓ સાત દિવસ માટે મથુરા ગયા હતા અને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે માતા યશોદાએ તેમને સાત દિવસ સુધી આઠ વખત 56 પ્રકારનું ભોજન બનાવીને ખવડાવ્યું હતું, ત્યારથી 56 ભોગની પરંપરા શરૂ થઈ હતી. 56 ભોગમાંથી શ્રી કૃષ્ણને પાંચ વસ્તુઓ ખૂબ જ પ્રિય છે જેનાથી શ્રીકૃષ્ણ થશે પ્રસન્ન.

માખણ મિશ્રી
માખણ મિશ્રી શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે. જન્માષ્ટમીના દિવસે તેમને માખણ મિશ્રી જરુરથી અર્પણ કરો. ગોકુળમાં તેમના રોકાણ દરમિયાન તેઓ તેમના મિત્રો સાથે મળીને ગોપીઓ દ્વારા છુપાવેલું માખણ ચોરીને ખાતા હતા.
દૂધ-દહીં
શ્રીકૃષ્ણને દૂધ-દહીં પણ ખૂબ પ્રિય છે. જ્યારે ગોપીઓ વૃંદાવનમાં દૂધ અને દહીં વેચવા નીકળતી ત્યારે શ્રી કૃષ્ણ તેમના પ્રિય મિત્રો, વાનરો સાથે, દૂધ અને દહીંની હાંડીઓ તોડીને બધુ દહીં ખાઈ જતા અને દૂધ પી જતા.
ઘીમાંથી બનેલી વસ્તુઓ
માતા યશોદા શુદ્ધ ઘીથી વિવિધ વાનગીઓ બનાવીને શ્રીકૃષ્ણને ખવડાવતા હતા. તેથી જ જન્માષ્ટમીના દિવસે ગાયના ઘીમાંથી વાનગી બનાવીને શ્રીકૃષ્ણને અર્પણ કરવાનું પોતાનું આગવું મહત્વ છે.
ખીર
ખીર એ ભગવાન કૃષ્ણનું પ્રિય ભોજન છે. આજે પણ મોટા શ્રીકૃષ્ણ મંદિરોમાં, તેમને ચોક્કસપણે ખીર ચઢાવવામાં આવે છે. ખીરમાં કેસર, એલચી અને બધા ડ્રાયફ્રૂટ્સ નાખી શ્રીકૃષ્ણને નૈવેદ્ય ચઢાવો અને તેમની પ્રસન્નતા મેળવો.
ફળો
શ્રીકૃષ્ણને ફળો ખૂબ જ પ્રિય છે. તેમને કેરી, કેળા, કસ્ટર્ડ એપલ, પપૈયા સહિતના તમામ પ્રકારના ફળો ખૂબ જ પસંદ છે. પ્રસાદ તરીકે ફળ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે.












Click it and Unblock the Notifications
