Mahashivratri 2023: શિવરાત્રિ પર પોતાની રાશિ મુજબ રુદ્રાક્ષ કરો ધારણ, થઈ જશો માલામાલ
જો તમે તમારી રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરશો તો તમારી ઈચ્છાઓ પૂરી થશે. 18મી ફેબ્રુઆરીના રોજ આવતી મહાશિવરાત્રી રૂદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે.
Mahashivratri & Rudraksha: રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવની આંખોમાંથી થઈ છે. એટલા માટે તે ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છે. જે વ્યક્તિ રૂદ્રાક્ષ ધારણ કરે છે તેને દરેક જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે. તેના તમામ કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે. પરંતુ મોટા ભાગના લોકો એ નથી જાણતા કે વ્યક્તિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, તેથી તેમને ધાર્યુ પરિણામ મળતું નથી. લોકો એકબીજાની દેખાદેખીમાં રુદ્રાક્ષ ધારણ કરી લે છે પરંતુ જ્યારે તેનાથી કંઈ થતુ હોય તેવુ નથી લાગતુ ત્યારે તેને કાઢીને ગમે ત્યાં મૂકી દે છે.
વાસ્તવમાં, રુદ્રાક્ષ પુનઃપ્રાપ્ય ઉર્જાનો ભંડાર છે અને આ ઉર્જા ગ્રહ નક્ષત્રો અનુસાર વ્યક્તિ પર અસર કરે છે. તેથી જો તમે રૂદ્રાક્ષ ધારણ કરવા જઈ રહ્યા છો, તો પહેલા તમારી રાશિનો વિચાર કરો. જો તમે તમારી રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરશો તો તમારી ઈચ્છાઓ પૂરી થશે. 18મી ફેબ્રુઆરીના રોજ આવતી મહાશિવરાત્રી રૂદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્વસ્થ શરીરની પ્રાપ્તિ થાય છે અને ધન અને સંપત્તિ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
કઈ રાશિ માટે કયો રુદ્રાક્ષ
- મેષ: ત્રણ મુખી
- વૃષભ: છ અને દસ મુખી
- મિથુન: ચાર અને અગિયાર મુખી
- કર્ક: બે મુખી અને ગૌરીશંકર રૂદ્રાક્ષ
- સિંહ: પાંચ મુખી
- કન્યા: ગૌરીશંકર રૂદ્રાક્ષ
- તુલા: સાત મુખી અને ગણેશ રૂદ્રાક્ષ
- વૃશ્ચિક: આઠ મુખી અને તેર મુખી
- ધન: નવ મુખી અને એક મુખી
- મકર: દસ મુખી અને તેર મુખી
- કુંભ: સાત મુખી
- મીન: પાંચ મુખી
કેવી રીતે ધારણ કરશો
રૂદ્રાક્ષ સીધા બજારમાંથી લાવીને પહેરી શકાય નહિ. તેને 24 કલાક ગંગા જળમાં રાખો. તેને બહાર કાઢ્યા પછી તેના પર બદામનુ તેલ લગાવો અને પછી તેની પૂજા કરો. શિવના કોઈપણ મંત્રનો 108 વાર જાપ કરો. પછી તેને લાલ રેશમી દોરામાં બાંધીને ગળામાં પહેરો અથવા જમણા હાથ પર બાંધો.
કેવી રીતે ચાર્જ કરશો
રુદ્રાક્ષમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ભંડાર હોય છે પરંતુ જો તમે તેને ધારણ કરો છો તો તે તમારી અંદર રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે. તમારા ઘણા રોગો પણ રુદ્રાક્ષ દ્વારા શોષાય છે, તેથી તમે સ્વસ્થ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર અનુભવો છો. એટલા માટે રૂદ્રાક્ષની અંદર રહેલી નકારાત્મક ઉર્જાને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે રુદ્રાક્ષ ધારણ કરી રહ્યા છો તો 15 દિવસમાં એકવાર તેને શુદ્ધ કરો. આ માટે એક બાઉલમાં પાણી લો અને તેમાં થોડુ દરિયાઈ મીઠું ઉમેરો. જો દરિયાઈ મીઠુ ઉપલબ્ધ ન હોય તો, સામાન્ય મીઠું ઉમેરો અને તેને એક કલાક માટે છોડી દો. એક કલાક પછી તેને પાણીમાંથી બહાર કાઢો અને તેને શુદ્ધ પાણીથી ત્રણ વાર ધોઈ લો. તેને સ્વચ્છ કપડાથી લૂછી લો અને પછી તેના પર બદામનુ તેલ સારી રીતે લગાવો. તે પછી તેને પહેરો. આ પ્રક્રિયા 15 દિવસમાં અથવા મહિનામાં એકવાર થવી જોઈએ.