Malavya Yog 2023 : ફેબ્રુઆરીમાં બની રહ્યો છે માલવ્ય યોગ, રાશિ અનુસાર કરો આ ઉપાય
Malavya Yog 2023 : શુક્ર 15 ફેબ્રુઆરી, 2023 ના રોજ કુંભ રાશિમાંથી તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં ગોચર કરશે. ઉલ્લેખનીય છે કે, શુક્ર મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ માલવ્ય રાજયોગ બનશે.
Malavya Yog 2023 : ફાગણ મહિનામાં 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. ફાગણ માસ 6 માર્ચના રોજ સમાપ્ત થશે. હિંદુ ધર્મ અનુસાર વિક્રમ સવંત અનુસાર 12 મહિના હોય છે. ફાગણ મહિનો હિંદુ કેલેન્ડરનો અંતિમ મહિનો હોય છે. ફેબ્રુઆરી અને માર્ચના મહિનાઓ ગ્રેગોરિયન કેલેન્ડરમાં હોય છે. આ બાદ ચૈત્ર મહિનો આવે છે, જેને હિંદુ નવું વર્ષની શરૂઆત માનવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ દરેક મહિનાનું પોતાનું મહત્વ હોય છે, આમ ફાગણ મહિનાનું પોતાનું મહત્વ છે. હિન્દુ ધર્મમાં મહિનાનું પરિવર્તન ચંદ્ર ચક્ર પર આધારિત છે, ચંદ્ર જે નક્ષત્રમાં સ્થિત છે, તે જ નક્ષત્રના આધારે તે મહિનાનું નામ રાખવામાં આવે છે.
મહિનાનું નામ ફાગણ રાખવામાં આવ્યું છે. કારણ કે, પૂર્ણિમાની તારીખ, ફાગણ પૂર્ણિમા, ફાલ્ગુની નક્ષત્ર પર આવે છે. ફાગણ મહિનામાં ઉજવાતા હિંદુ ધર્મના સૌથી પ્રસિદ્ધ તહેવારો હોળી અને મહાશિવરાત્રી છે. એવું કહી શકાય કે, સૌર વર્ષ હોળીના તહેવાર સાથે સમાપ્ત થાય છે.

ફાગણ માસમાં માલવ્ય યોગનું સર્જન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માલવ્ય યોગ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. શુક્ર 15 ફેબ્રુઆરી, 2023 ના રોજ કુંભ રાશિમાંથી તેની ઉચ્ચ રાશિ મીનરાશિમાં ગોચર કરશે.
શુક્ર મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ માલવ્ય રાજયોગ બનશે. માલવ્ય યોગને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ શુભમાનવામાં આવે છે. કારણ કે, તે પાંચ મહાપુરુષ યોગોમાંનો એક છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે શુક્ર કુંડળીના પ્રથમ, ચોથા, સાતમા કે દસમા ભાગમાં તેની પોતાની રાશિ વૃષભ અને તુલા રાશિમાં અથવાઉચ્ચ રાશિ મીન રાશિમાં હોય, ત્યારે માલવ્ય યોગ રચાય છે. માલવ્ય યોગવાળી વ્યક્તિ પર હંમેશા શુક્રનો પ્રભાવ રહે છે, તેથી આવીવ્યક્તિનું ભાગ્ય બળવાન હોય છે.

મેષ રાશિ
મેષ રાશિના લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા સાકર ભેળવેલું પાણી પીવું જોઈએ. લાલ અથવા રૂબી રંગના કપડા જરૂરિયાતમંદોને દાનકરો.

વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ દરરોજ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો કરવો જોઈએ. શક્ય હોય તો કનકધારા સ્તોત્રનો પાઠ કરો.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકોએ ગરીબોને અથવા મંદિરમાં દહીં, દૂધ કે ખાંડનું દાન કરવું જોઈએ. શિવલિંગ પર રોજ જળ ચઢાવો.

કર્ક રાશિ
કર્ક રાશિના લોકોએ ચંદ્રપ્રકાશમાં બેસીને ચંદ્રદેવના મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. આ સાથે ભગવાન શિવની પૂજા પણ દરરોજ કરવીજોઈએ.

સિંહ રાશિ
માલવ્ય યોગ દરમિયાન સિંહ રાશિના લોકોએ પાણીમાં ગોળ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. દરરોજ મા લક્ષ્મીની પૂજા કરો.

કન્યા રાશિ
કન્યા રાશિના માલવ્ય યોગમાં ગાયને લીલા પાંદડાવાળા શાકભાજી ખવડાવો. આ સાથે જ નિયમિત રીતે મા લક્ષ્મીની પૂજા કરતી વખતેતેમને લાલ ફૂલ ચઢાવો.

તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ દરરોજ સફેદ વસ્ત્રો પહેરીને ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો જોઈએ.

વૃશ્ચિક રાશિ
માલવ્ય યોગ દરમિયાન વૃશ્ચિક રાશિના વ્યક્તિએ પાણીમાં બે ચમચી કાચું દૂધ નાખીને ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ અને ચંદ્રદેવનામંત્રોનો જાપ કરવો જોઈએ.

ધન રાશિ
ધન રાશિના લોકોએ માલવ્ય યોગ દરમિયાન દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો કરવો જોઈએ.

મકર રાશિ
મકર રાશિના લોકોએ માલવ્ય યોગ દરમિયાન સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આ પછી પાણીમાં કાચું દૂધ મિક્સ કરીનેચંદ્રને અર્ઘ્ય ચઢાવો.

કુંભ રાશિ
કુંભ રાશિના લોકોએ આ યોગ દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. ગરીબોનેકાળા વસ્ત્રોનું દાન કરો.

મીન રાશિ
મીન રાશિના લોકોએ માલવ્ય યોગ દરમિયાન ગરીબોને અથવા મંદિરમાં સફેદ ચંદન, ઘી, દૂધ, દહીં વગેરેનું દાન કરવું જોઈએ. દરરોજવિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો અને કપાળ પર કેસરનું તિલક લગાવો.












Click it and Unblock the Notifications
