Mahashivratri 2025: શિવપૂજનમાં જરૂર ચઢાવો આ પાંચ વસ્તુ, પૂરી થશે તમારી દરેક મનોકામના
મહાશિવરાત્રી હવે ટૂંક દિવસો બાદ આવવાની છે. મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવની પૂજા કરે છે.
શિવપુરાણ અનુસાર, ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા, જેના કારણે આ તિથિ શિવભક્તો માટે ખાસ શુભ માનવામાં આવે છે.
ભગવાન શિવને ઔધરદાણી અને ભોલે ભંડારી કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોની ભક્તિથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.
પંચાંગ મુજબ, ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 11:08 વાગ્યાથી 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 8:54 વાગ્યા સુધી રહેશે, તેથી મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રી પર શિવલિંગનો જળથી અભિષેક કરવો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શુભ સમય મુજબ જલાભિષેક સવારે 6:47 થી 9:42 સુધી, પછી બપોરે 11:06 થી 12:35 સુધી કરી શકાય છે.
શિવજીની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય સાંજે 3:25 થી 6:08 અને રાત્રે 8:54 થી 12:01 સુધીનો રહેશે.એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ સાચા ભક્તો પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે.
જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરે છે અને રુદ્રાક્ષ, બેલપત્ર, ધતુરા, ભસ્મ અને ગાયનું દૂધ જેવી પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે, તો વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને શત્રુઓ પર વિજય મળે છે.

રુદ્રાક્ષને ભગવાન શિવનો મહાપ્રસાદ માનવામાં આવે છે, જે તેમના આંસુઓમાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. મહાશિવરાત્રી પર રુદ્રાક્ષ ચઢાવવાથી અને પહેરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.
અલગ અલગ મુખવાળા રુદ્રાક્ષ નવ ગ્રહો અને અન્ય દેવી-દેવતાઓ સાથે સંકળાયેલા છે, તેથી ભગવાન શિવની પૂજામાં તેમને ચઢાવવાથી અન્ય દેવી-દેવતાઓ તરફથી પણ આશીર્વાદ મળે છે.
બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ ચઢાવવાથી શિવજીના આશીર્વાદ ઝડપથી મળે છે. સનાતન પરંપરા અનુસાર, બીલીપત્રના ત્રણ પાંદડા રજસ, સત્વ અને તમોગુણનું પ્રતીક છે. તેને અર્પણ કરતી વખતે, દાંડી ઊંધી રાખવી જોઈએ, જેથી સાધકને સુખ અને સમૃદ્ધિ મળે.
શિવ પૂજામાં ભસ્મનું વિશેષ મહત્વ છે. તેને ભગવાન શિવનું વસ્ત્ર માનવામાં આવે છે અને તે બધા પાપોનો નાશ કરે છે.
શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સારા સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે છે, જ્યારે દહીં ચઢાવવાથી સુખ, સમૃદ્ધિ અને આનંદ મળે છે.
પૂજામાં શિવજીને આ પણ અપર્ણ કરી શકાય
- મધ - વાણીમાં મીઠાશ અને સુંદરતા વધારે છે.
- ઘી - તેજ અને દિવ્ય આભા આપે છે.
- ખાંડ - સુખ અને સમૃદ્ધિ છે.
- ચંદન - ખ્યાતિ અને કીર્તિ લાવે છે.
- આમળા - આયુષ્ય આપે છે.
- શેરડીનો રસ - સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
- ઘઉં - વ્યક્તિને યોગ્ય બાળકનું સુખ મળે છે.
- અક્ષત (ચોખા) - સુખ અને સંપત્તિમાં વધારો થાય છે.
- મહાશિવરાત્રી પર યોગ્ય રીતે શિવજીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ રહે છે.












Click it and Unblock the Notifications
