Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘરમાં પિતૃઓના ફોટા લગાવવા જોઈએ કે નહિ, જાણો પ્રેમાનંદજી મહારાજના વિચાર

Pitru Photo: પ્રેમાનંદ મહારાજજી સરળ, સહજ અને સુખદ પ્રવચનોના ધની છે. હાલમાં સોશિયલ મીડિયા પર મહારાજજીની વાતો ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. મહારાજજીના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેમના અનુયાયીઓ છે. સત્સંગ દરમિયાન મહારાજજી મોટા-મોટા પ્રશ્નોનું નિરાકરણ કરે છે.

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો તેમના નિવાસસ્થાનમાં ગમે ત્યાં તેમના પૂર્વજોના ફોટા લગાવે છે. વળી, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ઘરના મંદિરમાં પણ ભગવાનના સિંહાસનની બાજુમાં પૂર્વજોના ફોટા રાખવામાં આવે છે. ચાલો જાણીએ પ્રેમાનંદજી મહારાજે પૂર્વજોના ફોટા વિશે શું કહ્યું.

Premanand Ji Maharaj

હાલમાં જ પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે પૂર્વજોના ફોટા ક્યાં મૂકવા જોઈએ. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે મંદિરમાં ફોટા મૂકવા જોઈએ કે નહીં. થોડા દિવસ પહેલા જ પ્રેમાનંદ મહારાજજીના આશ્રમના પ્રાંગણમાં એક યુવતીએ પ્રશ્ન પૂછ્યો કે અમે અમારા ઘરના મંદિરમાં અમારા માતા-પિતાના ફોટા રાખ્યા છે. પરંતુ કેટલાક લોકો માને છે કે રાધા રાણી અને કુંજ બિહારી સાથે પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ,

આ પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજજી જવાબ આપે છે અને કહે છે કે જો તમારી એવી લાગણી હોય કે આપણા ભગવાન ઠાકુરજીની હયાતીના કારણે જીવનમાં કોઈ સમસ્યા નથી, તમારા અંતર આત્માએ ઠાકુરજીનું સ્વરૂપ સ્વીકારી લીધુ, તો તમે જે મનોહર ભાવથી તેમને જોશો, તેમની છબી એવી જ તમને દેખાશે.

પ્રેમાનંદ મહારાજ જી કહે છે કે જો તમારા જીવનમાં ભગવત ભાવના હોય તો કોઈ સમસ્યા નથી. જો તે ન હોય તો પૂર્વજોના ફોટા રાખવાથી પણ કોઈ ફાયદો થશે નહીં. આપણું માનવ શરીર નાશવંત છે પણ પરમાત્માનુ શરીર સચ્ચિદાનંદ છે. જો આપણને એવું લાગતું હોય કે તે ફક્ત આપણા માતા-પિતાનો ફોટો છે, તો ભગવાનના સિંહાસન સમક્ષ આપણા પૂર્વજોનો ફોટો ન રાખવો જોઈએ.

મહારાજજી કહે છે કે જો તમારા મા-બાપના ફોટાની અંદર સાક્ષાત ભગવાન બેઠા છે એવી શ્રદ્ધા હોય તો તમે ભગવાનને સાક્ષાત સ્વરૂપમાં જોઈ શકશો, તો પછી ભગવાનનો અલગ ફોટો હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.જો તમે તમારા માતા-પિતાનો ફોટો સાચી ભક્તિ સાથે મૂક્યો હોય અને તમે માનતા હોવ કે આ લોકો મારા ભગવાન છે તો તેમની સાચી ભક્તિ અને શુદ્ધ હૃદયથી સેવા કરો, તમને ચોક્કસ ભગવાનની પ્રાપ્તિ થશે.

નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X