Saturn Retrograde: 139 દિવસ માટે શનિ થઈ રહ્યા છે વક્રી, બુધ પણ બદલી રહ્યા છે રાશી, જાણો રાશિઓ પર અસર
Saturn Retrograde: કર્મનું શુભ ફળ આપનાર ગ્રહ શનિ 29-30 જૂનની મધ્યરાત્રિએ સવારે 12.40 વાગ્યાથી વક્રી થઈ રહ્યો છે. શનિ 15 નવેમ્બર, 2024ના રોજ સાંજે 7:51 વાગ્યે માર્ગી થશે. આમ શનિ ગ્રહ કુલ 139 દિવસ સુધી વક્રી થવાનો છે. બુધ પણ 29 જૂનથી કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
શનિની વક્રી થવાના કારણે ધન રાશિ પર શુભ અને અશુભ બંને પરિણામો જોવા મળે છે. પરિણામ વ્યક્તિની કુંડળીમાં શનિના પ્રકાર પર આધાર રાખે છે.

હાલમાં મકર, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર લધુ ઢૈયા ચાલી રહી છે. શનિની વક્રી ચાલના કારણે આ રાશિના જાતકોને થોડી રાહત મળશે. મહેનત કરવાથી દરેક ક્ષેત્રમાં સારું પરિણામ મળશે.
તમામ રાશિના લોકોએ શું કરવું
શનિની સાડાસાતી દરમિયાન દરેક રાશિના લોકોને તેમની કુંડળી પ્રમાણે શુભ ફળ મળશે. આ સમયગાળા દરમિયાન તમામ રાશિના લોકોએ દરરોજ હનુમાનજીના દર્શન કરવા જોઈએ, તેમની પૂજા કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ અને તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ કરો. જે લોકો ઘણી બીમારીઓથી પીડિત હોય અથવા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તેમણે બજરંગબાણનો પાઠ કરવો જોઈએ.
સાડા સાતીવાળાએ શું કરવુ
શનિની શાંતિ માટે મકર, કુંભ અને મીન રાશિના લોકોએ તેની મધ્ય આંગળીમાં લોખંડની વીંટી પહેરવી. શનિ શાંતિ યંત્ર સ્થાપિત કરો અને તેની પૂજા કરો. શનિ સ્તોત્રનો નિયમિત પાઠ કરો. આનાથી શનિના કષ્ટમાંથી રાહત મળશે.
કર્ક રાશિમાં બુધ
બુદ્ધિ, શિક્ષણ અને વેપારનો ગ્રહ બુધ 29 જૂને બપોરે 12:26 વાગ્યાથી કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધના ચંદ્ર રાશિમાં પ્રવેશને કારણે તમામ રાશિના લોકોને વેપારના ક્ષેત્રમાં વિશેષ સફળતા મળવાની છે, ખાસ કરીને જે લોકોનો વેપાર વિદેશથી સંબંધિત છે તેમને આ સમયગાળા દરમિયાન વિશેષ શુભ ફળ મળવાના છે.












Click it and Unblock the Notifications
