Surya Grahan 2023: હવે આ તારીખે લાગવા જઈ રહ્યુ છે સૂર્યગ્રહણ, 4 રાશિઓએ રહેવુ પડશે સાવધાન
Surya Grahan 2023: સૂર્ય અને ચંદ્ર માત્ર ખગોળશાસ્ત્રમાં જ નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં પણ બે આકર્ષક ગ્રહો છે. આ બંનેની ગતિવિધિઓ પર સૌની નજર છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી વિશેષ પ્રવૃત્તિઓમાં દરેકને રસ હોય છે.
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું અને હવે આગામી ગ્રહણ ઓક્ટોબરમાં થવાનું છે. આવો જાણીએ કે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ કયા દિવસે થશે.

સૂર્યગ્રહણની તારીખ અને સમય
વર્ષનું બીજું ગ્રહણ 14 ઓક્ટોબરે થશે, જો કે, તે સમયે ભારતમાં રાત થઈ જશે. ગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 08:34થી 02:25 સુધી ચાલશે. આ દિવસે આસો મહિનાની અમાસની તિથિ પણ આવતી હોવાથી શનિ અમાસ વ્રત પણ આ દિવસે મનાવવામાં આવશે.
આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?
જ્યારે આ સૂર્યગ્રહણ શરૂ થશે ત્યારે ભારતમાં રાત પડશે. એટલા માટે આ ગ્રહણ પૃથ્વીની વિરુદ્ધ બાજુથી દેખાશે. તેથી જ તે ભારતમાં દેખાશે નહીં. જોકે, આ ગ્રહણ મેક્સિકો, ક્યુબા, બાર્બાડોસ, એન્ટિગુઆ, ચિલી, ડોમિનિકા, બહામાસ, કેનેડા, બ્રાઝિલ, પેરાગ્વે, જમૈકા, હૈતી, અમેરિકા, કોલંબિયા વગેરે દેશોમાં દેખાશે.
કઈ રાશિઓ પર થશે પ્રતિકૂળ અસર?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ ન દેખાય તો પણ તેની અસર રાશિ પર પડશે. મેષ, કર્ક, તુલા અને મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન અત્યંત સાવધાન રહેવાની જરૂર પડશે કારણ કે ગ્રહણ તેમના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.












Click it and Unblock the Notifications
