Chandra Grahan 2022: આ તારીખે લાગવા જઇ રહ્યું છે વર્ષનુ છેલ્લુ ચંદ્ર ગ્રહણ, જાણો સમય અને સુતક કાળ
વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ બાદ હવે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે થયું હતું. ચંદ્રગ્રહણ દેવ દિવાળી એટલે કે 8 નવેમ્બરના રોજ થવાનું છે. 8 નવેમ્બર કારતક મહિનાની
વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ બાદ હવે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે થયું હતું. ચંદ્રગ્રહણ દેવ દિવાળી એટલે કે 8 નવેમ્બરના રોજ થવાનું છે. 8 નવેમ્બર કારતક મહિનાની પૂર્ણિમા તિથિ પણ છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણના કારણે તેમાં નોંધપાત્ર વધારો થશે. આ દરમિયાન લોકોએ ઘણી પૌરાણિક માન્યતાઓનું પણ પાલન કરવું પડશે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ થયું હતું. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણની તારીખ, સમય અને સુતક સમય શું છે?
આ તારીખે છે વર્ષનુ છેલ્લુ ચંદ્ર ગ્રહણ
ભારતનું વર્ષ 2022નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે પડી રહ્યું છે. ભારતીય સમય અનુસાર, ચંદ્રગ્રહણ લગભગ 5:32 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 7.27 વાગ્યા સુધી ચાલશે.
ક્યાં સુધી હશે સુતક કાળ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન, સૂતક કાળનો સમય ગ્રહણની શરૂઆતના 9 કલાક પહેલા લેવામાં આવે છે. 8મી નવેમ્બરે ચંદ્ર ભારતના ઘણા ભાગોમાં દેખાશે. તેથી સુતક કાળ તમામ જગ્યાએ માન્ય રહેશે.
આ જગ્યાએ દેખાશે ચંદ્ર ગ્રહણ
ભારત ઉપરાંત વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ એશિયન ટાપુઓ, દક્ષિણ/પૂર્વીય યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોઈ શકાશે. આ સમય દરમિયાન લોકોએ સનાતન ધર્મમાં સ્વીકારેલી પરંપરાઓનું પણ પાલન કરવું પડશે.
કેવી રીતે થાય છે ચંદ્ર ગ્રહણ
વિજ્ઞાન અનુસાર જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્ર અને સૂર્યગ્રહણ એ પણ ભૌગોલિક ઘટના છે. આમ છતાં જ્યોતિષમાં તેનું ખૂબ મહત્વ છે.